Bollywood/ સુશાંતના કો-એકટર રહી ચૂકેલા સંદીપ નાહરે આત્મહત્યા કરી, સુસાઈડ નોટમાં પત્ની પર ગંભીર આક્ષેપ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ગત જૂન મહિનામાં આત્મહત્યા કરી લીધી હતી.ત્યાર બાદ બોલિવૂડ અને ટેલિવૂડમાં ઘણા અભિનેતા આત્મહત્યા કરી હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા હતા. આ આત્મહત્યાનો સિલસિલો હજુ પણ અટક્યો નથી

Top Stories Entertainment
nahar સુશાંતના કો-એકટર રહી ચૂકેલા સંદીપ નાહરે આત્મહત્યા કરી, સુસાઈડ નોટમાં પત્ની પર ગંભીર આક્ષેપ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ગત જૂન મહિનામાં આત્મહત્યા કરી લીધી હતી.ત્યાર બાદ બોલિવૂડ અને ટેલિવૂડમાં ઘણા અભિનેતા આત્મહત્યા કરી હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા હતા. આ આત્મહત્યાનો સિલસિલો હજુ પણ અટક્યો નથી તેવું લાગી રહ્યું છે.ફિલ્મ જગત તરફથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતની ‘એમ.એસ.ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી’માં કામ કરી ચૂકેલા સંદિપ નાહરે આત્મહત્યા કરી લીધી છે. સંદીપે અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘કેસરી’ અને ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું. મુંબઈ પોલીસને મળેલી માહિતી અનુસાર, “નાહરે મુંબઈના ગોરેગાંવમાં તેના ઘરે આત્મહત્યા કરી લીધી છે.આ કેસમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Image result for image of actor nahar

CM Vijay Rupani / મારી તબિયત સારી, મારા સંપર્કમાં આવેલા લોકો ટેસ્ટ કરાવે : CM રૂપાણી

સંદિપ નાહરે ફેસબુક પર એક વીડિયો શેર કર્યો છે. તે વીડિયોમાં તેણે પત્ની કંચન શર્મા પર ગંભીર આક્ષેપો કર્યા હતા, અને એમ પણ કહ્યું હતું કે તેમની માનસિક સ્થિતિ સારી નથી. તેણે વીડિયોમાં કહ્યું, ‘તમે મને ઘણી ફિલ્મોમાં જોયો હશે. મેં એમએસ ધોનીમાં છોટુ ભૈયાની ભૂમિકા ભજવી હતી. આજે ઉદ્દેશ આ વિડિઓ બનાવવાનો છે. ઉદ્દેશ એ છે કે આપણા જીવનમાં ઘણી સમસ્યાઓ ચાલી રહી છે. હું માનસિક રીતે સ્થિર નથી. આનું કારણ મારી પત્ની કંચન શર્મા છે. હું બે વર્ષથી તણાવમાંથી પસાર થઈ રહ્યો છું. પત્નીને વારંવાર સમજાવ્યું છે. 365 દિવસના ઝઘડાઓ, દરરોજ આત્મહત્યાની વાત કરવી. તે કહે છે કે હું મરી જઈશ અને તમને ફસાવીશ. ‘

Image result for image of actor nahar

ISRO / પ્રથમ વખત અતરીક્ષમાં ભગવદ્ ગીતા અને PM મોદી સાથે 25 હજાર લોકોના નામ જશે, 28મી ISRO લોન્ચ કરશે સેટેલાઈટ

આગળ સંદીપે કહ્યું હતું કે ‘હું તકલીફમાં છું. મારા કુટુંબને અને માતાને ગાળો આપે છે. હું તેની સામે પરિવારજનોના ફોન ઉપાડી શકતો નથી. મારું નામ કોઈપણ સાથે જોડે છે. તેણીને શંકા કરે છે, આ શંકાનો કોઈ ઉપાય નથી. તેણી આખો સમય ઝઘડા કરે છે. થોડા દિવસ પૂર્વે તેણુ ઘરેથી ભાગી ગઈ હતી. હું તેને શોધવા માંડ્યો હતો. તેની માતા તેને ટેકો આપે છે અને કેસ કરવાની ધમકી પણ આપે છે.

Image result for image of actor nahar

Corona Vaccine / વિશ્વભરના 20 દેશોને કોરોનાની રસી પહોંચાડવામાં ભારત બન્યો દેવદૂત, બે કરોડથી વધારે રસી મોકલી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…