BCCI (ક્રિકેટ બોર્ડ ઓફ ઈન્ડિયા) દ્વારા તૈયાર કરાયેલા સુધારેલા સમયપત્રક મુજબ રણજી ટ્રોફીનો લીગ તબક્કો 16 ફેબ્રુઆરીથી 5 માર્ચ દરમિયાન યોજાશે. દેશમાં કોરોના વાયરસનાં સંક્રમણનાં વધતા જતા કેસોને કારણે BCCIને આ ટોચની સ્થાનિક સ્પર્ધાને મુલતવી રાખવાની ફરજ પડી હતી. અગાઉનાં શેડ્યૂલ મુજબ તે 13 જાન્યુઆરીથી રમાવાની હતી.
આ પણ વાંચો – બજેટ 2022 / આવતીકાલે આવશે મોદી સરકારનું 9મું બજેટ, જાણો છેલ્લા 7 વર્ષમાં કેટલી રાહત મળી, કોના ખિસ્સા થયા ઢીલા!
ટૂર્નામેન્ટમાં 38 ટીમો ભાગ લેશે અને તેની મેચો અમદાવાદ, કોલકાતા, ત્રિવેન્દ્રમ, કટક, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ અને રાજકોટમાં રમાશે. જો કે, તેનું ફોર્મેટ બદલાઈ ગયું છે અને તેમાં ચાર ટીમોનાં આઠ ગ્રુપ હશે, જેમાં પ્લેટ ગ્રુપમાં છ ટીમ હશે. માર્ચ 2020માં રણજી ટ્રોફીની ફાઈનલ બાદ ભારતમાં રેડ બોલનાં ફોર્મેટમાં રાષ્ટ્રીય સ્તરની કોઈ સ્થાનિક મેચ રમાઈ નથી. ગત સીઝનમાં રણજી ટ્રોફી રદ્દ થવા બદલ વળતર મેળવનાર ડોમેસ્ટિક ક્રિકેટરોએ જ્યારે બીસીસીઆઈનાં સચિવ જય શાહે ભૂતકાળમાં જાહેરાત કરી હતી કે ટૂર્નામેન્ટ બે તબક્કામાં યોજાશે ત્યારે ખુશી વ્યક્ત કરી હતી. તેની નોકઆઉટ તબક્કાની મેચો જૂનમાં રમાશે. આ વખતે રણજી ટ્રોફીમાં ચાર ટીમોનાં આઠ ગ્રુપ હશે. આ સાથે, 6 ટીમની પ્લેટ ગ્રુપ મેચો એક સાથે યોજાવા જઈ રહી છે. કોવિડ-19 કેસની વધતી સંખ્યાને કારણે બીસીસીઆઈએ આ મહિનાની શરૂઆતમાં રણજી ટ્રોફી મુલતવી રાખી હતી.
આ પણ વાંચો – કિશન ભરવાડ હત્યા કેસ / કોણ છે મૌલાના ખાદિમ રિઝવી ? જેના ઝેર ઓકતા વીડિયો જોઈ કિશન ભરવાડની હત્યા કરવા મજબૂર બન્યા હત્યારા ?
રણજી ટ્રોફી ઉપરાંત કર્નલ સીકે નાયડુ ટ્રોફી, મહિલા T20 લીગ પણ મુલતવી રાખવામાં આવી હતી. રણજી ટ્રોફી, કર્નલ સીકે નાયડુ ટ્રોફી જાન્યુઆરીમાં જ શરૂ થવાની હતી, જ્યારે મહિલા T20 લીગ ફેબ્રુઆરીમાં યોજાવાની હતી. કોવિડ-19નાં કારણે 85 વર્ષનાં ઈતિહાસમાં છેલ્લી સીઝન રણજી ટ્રોફી પ્રથમ વખત રદ કરવી પડી હતી.