દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં સ્મશાનના કોતરોમાંથી બે લાશો મળી આવીછે. એક યુવક અને એક યુવતીની લાશ મળી આવી છે. ગામના જ રહેવાસી એવા યુવક અને યુવતીની લાશો મળી આવતા ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગરબાડા તાલુકાના દેવધા ગામમાં આવેલા સ્મશાન નજીક કોતરો માંથી યુવક અને એક યુવતીની લાશ મળી આવી છે. બંને મૃતકો દેવધ ગામના રહેવાસી છે. અને ગામમાં મંદિર ફળિયા અને ડામોર ફળિયામાં રહેતા હતા. બંને ઉમર આશરે 15 થી 17 વર્ષ ની છે. ગામના યુવક અને યુવતીની લાશો મળી આવતા ગામમાં ચકચાર મચી ગઈ છે.
ગામમાં જેટલા મોઢા તેટલી વાતો ચર્ચાઇ રહી છે. એક જ ગામના હોવાથી યુવક યુવતી એ કયા કારણોસર આ પગલું ભર્યું છે તે તપાસ નો વિષય છે. યુવકનો મૃતદેહ કોટરોમાં નીછે પડેલો મળી આવ્યો હતો. જ્યારે યુવતીનો મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. બંને જણા એ આત્મા હત્યા કરી હતી કે કેમ ? તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો કે કેમ તે જાણવા મળ્યું નથી. હાલમાં પોલીસે સ્થળ પર પહોંચી હતી આગળની કાર્યવાહી હાથ ધરી છે.