જામનગરમાં દેશના પ્રથમ આયુર્વેદ સંસ્થાન ઇન્સ્ટિટયુટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદનું ધનતેરસના લોકાર્પણ થશે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે રાષ્ટ્રીય કક્ષાનું મહત્વ ધરાવતી આઇટીઆરએનો ઈ – વિમોચનનો કાર્યક્રમ યોજાશે.
આયુર્વેદ દિવસના મળનારી ભેટથી જામનગરને આઇઆઇટી અને આઇઆઇએમ કક્ષાની વિશ્વસ્તરીય શૈક્ષણિક સંસ્થાનો લાભ મળશે. 13 નવેમ્બરના રાજયપાલ, મુખ્યમંત્રી જામનગર આવશે.
જામનગરમાં 13 નવેમ્બરના શુક્રવારના રોજ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં આઇટીઆરએના ઈ- વિમોચન પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે. જ્યારે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ સહીતના મંત્રી, ધારાસભ્યો, સાંસદ ઉપસ્થિત રહેશે.
જુઓ આ વીડિયો અહેવાલ – જામનગરમાં આયુર્વેદ રિચર્સ સેન્ટરનું લોકાર્પણ