Aditya Thackeray: શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરેએ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર નિશાન સાધ્યા છે. આદિત્ય ઠાકરેએ શિંદેને પડકાર ફેંકતા કહ્યું કે જો તેમનામાં હિંમત હોય તો તેઓ મારી સામે ચૂંટણી લડીને બતાવે.આદિત્ય ઠાકરેએ કહ્યું કે હું આ ગેરબંધારણીય મુખ્યમંત્રી એકનાથ શિંદેને મારી સામે ચૂંટણી લડવા માટે પડકારું છું. તેમણે કહ્યું કે હું મારી સીટ પરથી રાજીનામું આપીશ અને તેમણે પોતાની સીટ પરથી રાજીનામું આપી દેવું જોઈએ અને પછી તેણે વરલીમાંથી મારી સામે ઈલેક્શન લડીને બતાવે.
#WATCH | I’ve challenged this unconstitutional CM (Eknath Shinde) to contest the Assembly elections against me. I will resign from my seat & he should resign from his seat, and let him contest from Worli against me: Shiv Sena leader Aaditya Thackeray #Maharashtra pic.twitter.com/pp0X39H7QE
— ANI (@ANI) February 4, 2023
(Aditya Thackera): શુક્રવારે અનુશક્તિ નગરમાં પાર્ટીની બેઠક દરમિયાન પત્રકારો સાથે વાત કરતા આદિત્ય ઠાકરેએ કહ્યું, ‘હું તેમને તમારી સામે પડકારી રહ્યો છું. સર્વત્ર શિવસેના (યુબીટી)નો ભગવો માહોલ છે. હું તેમના 13 બળવાખોર સાંસદો અને 40 બળવાખોર ધારાસભ્યોને પડકાર ફેંકું છું કે તેઓ રાજીનામું આપે અને પછી જીતીને બતાવે. હું જોઉં છું કે તેઓ કેવી રીતે જીતે છે. પૂર્વ મંત્રીએ કહ્યું કે તમામ મશીનરીનો ઉપયોગ કરો અને પૈસાની થેલીઓ, એક પણ શિવસૈનિક વેચાશે નહીં.
તેમણે કહ્યું કે(Aditya Thackeray) આવનારો સમય શિવ શક્તિ અને ભીમ શક્તિનો હશે. આદિત્ય ઠાકરેએ કહ્યું, ‘હું ચિંતિત છું કે કેવી રીતે તેઓ (શિંદે સરકાર) પોતાના અંગત હિત માટે મુંબઈ અને મહારાષ્ટ્રનો ઉપયોગ કરી રહ્યાં છે. તેથી જ મેં રોડ કૌભાંડ વિશે વાત કરી હતી. મને લાગે છે કે મુંબઈમાં સરમુખત્યારશાહી ચાલી રહી છે. એક વર્ષ થઈ ગયું છે પરંતુ તેઓ BMCની ચૂંટણી નથી કરાવી રહ્યા. તેઓએ ત્યાં એક પ્રશાસકની નિમણૂક કરી છે જેને સીએમ દ્વારા આદેશ આપવામાં આવે છે. અમે ચૂંટણી માટે તૈયાર છીએ અને અમે ચૂંટણી જીતીશું
Raghavji Patel/રાજકોટ શહેર તથા જિલ્લાના વિવિધ લોકપ્રશ્નોની સર્વગ્રાહી સમીક્ષા કરતા રાઘવજી પટેલ
Ajab Gajab News/આ દેશમાં ડુંગળી બની ગઈ ‘નવી કરન્સી’