નવી દિલ્હીઃ રક્ષામંત્રી મનોહર પારિકરે કહ્યુ હતુ કે, અફઘાનિસ્તાન અને ઉત્તર ભાગમાં ઘણી એવી રિપોર્ટ આવી રહ્યા છે. મેં તસ્વીરોમાં જોયું છે કે, સ્થાનિક લોકોના શરીર પર ચકત્તે કે બીજા કોઇ પ્રકારના કેમિકલ વેપંસથી પ્રભાવિત છે. આ તસ્વીર વિચલીત કરનાર છે. ડીઆરડીઓના એક કાર્યક્રમમાં આ વાત કરવામાં આવી છે.
જો કે પારિકરે એ પણ કહ્યું હતું કે, અત્યારે તે આ વાતની પુષ્ટી નથી કરી શક્તા પરંતુ દેશે કોઇ પણ પ્રકારની જંગ માટે તૈયાર રહેવું જોઇએ. પછી ભલે તે પરમાણુ, રાસાયણિક અને જૈવિક હૂમલાનો ખતરો કેમ ના હોય. આપણ ભવિષ્યમાં કોઇ પણ પ્રકારના હૂમલા માટે તૈયાર રહેવું જોઇએ.
વિદેશ મંત્રાલય દ્વારા અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં થયેલા બોમ્બ ધડાકાની નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યુ છે કે, ભારતમાં આતંકવાદથી પીડિત છે. આપણ અફઘાનિસ્તાનના લોકોનું દર્દ સમજી શકીએ છીએ. બુધવારે રાજધાની કાબુલમાં થયેલા બોમ્બ ધડાકામાં દર્જનો જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા.