તમને જણાવી દઈએ કે ભાજપના રાષ્ટ્રીય નેતાઓની ગુજરાત મુલાકાત માટે સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓનું ધ્યાન માત્ર બે રાજ્યો પર છે. કેન્દ્રમાં ગુજરાતમાંથી કેબિનેટ મંત્રી બનેલા સાંસદો પણ ગુજરાત પ્રવાસની તૈયારી કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનામાં બે વખત ગુજરાતની મુલાકાતે આવવાના છે.
મળતી માહિતી મુજબ આ શિબિરમાં ભાજપના રાષ્ટ્રીય નેતા અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ હાજર રહેશે. બેઠકમાં આદિવાસીઓની સાથે પાટીદાર સમાજની પણ ચર્ચા થાય તેવી શક્યતા છે. ગુજરાતમાં છેલ્લી છ ટર્મથી ભાજપ સત્તા પર હોવાથી, એન્ટી ઈન્કમ્બન્સી તેમજ મોંઘવારીના મુદ્દાને લઈને ભાજપના નેતાઓને આ શિબિર દ્વારા જનતા સુધી પહોંચવાનો માર્ગ મળશે. આ બેઠકમાં કેટલાક સત્રો હશે જેમાં સોશિયલ મીડિયા, મીડિયા કમિટી, આઈટી સેલના સત્રો પણ હશે. જિલ્લા, તાલુકા અને મહાનગર દ્વારા કાર્યક્રમોનું પ્રેઝન્ટેશન પણ થશે. સંગઠનાત્મક કાર્યક્રમો પણ તૈયાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 20 થી 21 મે દરમિયાન જયપુરમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યસમિતિની બેઠક યોજાવા જઈ રહી છે, જે પહેલા ગુજરાતમાં ચિંતન શિબિર મહત્વપૂર્ણ બની રહેશે.