મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે બુધવારે બીજેપી હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઇ હતી સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં મધ્યપ્રદેશ માટે કુલ 39 ઉમેદવારો અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેમાંથી 36 ઉમેદવારોના નામને ચૂંટણી સમિતિએ મંજૂરી આપી દીધી છે.રાજ્યના કેટલાક નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ ત્રણ ઉમેદવારોના નામ પર નિર્ણય લેવામાં આવશે. ચર્ચા બાદ ત્રણ ઉમેદવારોના નામ નક્કી કરવાની જવાબદારી ગૃહમંત્રી અમિત શાહને સોંપવામાં આવી છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં પીએમ મોદી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને રાજનાથ સિંહ અને અન્ય વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી.
આ અગ્રણી નેતાઓના નામ પર મોહર
જે અગ્રણી ઉમેદવારોના નામ ભાજપની ચૂંટણી સમિતિએ મંજૂર કર્યા છે તેમાં મધ્ય પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથની છિંદવાડા જિલ્લાની છિંદવાડા શહેર વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. અહીંથી વિવેક સાહુને ટિકિટ આપવામાં આવી છે. રઘુરાજ કંસાનાને મોરેના વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. કંસાનાને સિંધિયા કેમ્પના માનવામાં આવે છે. કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા ગોવિંદ સિંહ સામે અમરીશ ગુડ્ડુને ભીંડ જિલ્લાની લહાર વિધાનસભાથી ટિકિટ આપવામાં આવી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના નજીકના સહયોગી ઈમરતી દેવીને ગ્વાલિયર જિલ્લાની ડાબરા વિધાનસભાથી ટિકિટ આપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ઝાબુઆની થંડલા વિધાનસભા બેઠક પરથી કાલ સિંહ, ઈન્દોર જિલ્લાના દેપાલપુરથી મનોજ પટેલ, છતરપુર જિલ્લાની રાજનગર બેઠક પરથી અરવિંદ પટેરિયા, સાગર જિલ્લાની દેવરી બેઠક પરથી બ્રિજ બિહારી પટેરિયા, ગ્વાલિયર જિલ્લાની ભીતરવાર વિધાનસભા બેઠક પરથી મોહન સિંહ રાઠોડ .ને ટિકિટ આપવામાં આવી છે.
બાકીના નામો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે
ટૂંક સમયમાં જ ભાજપ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરશે. તમને જણાવી દઈએ કે, આ પહેલા ભાજપે 39 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે, ભાજપ બી કેટેગરીની બેઠકોને પ્રાધાન્ય આપી રહી છે અને તેના પર ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે. આ એ બેઠકો છે જે ભાજપે ગત વિધાનસભા ચૂંટણીમાં ગુમાવી હતી. મધ્યપ્રદેશમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.