કેરળમાં નિપાહ વાયરસનું જોખમ કેમ વધારે છે? કેરળ સરકારના જણાવ્યા અનુસાર, નિપાહ વાયરસમાં બાંગ્લાદેશી વેરિઅન્ટની હાજરી ચિંતાનું એક મોટું કારણ છે. સાવચેતીના પગલા તરીકે 14 અને 15 સપ્ટેમ્બરે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી હતી, લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે.આ બધા વચ્ચે ICMRએ ચેતવણી આપી છે કે નિપાહ કોરોના વાયરસ કરતા પણ વધુ ખતરનાક છે. આ બધાની વચ્ચે, ICMRએ કહ્યું કે તેઓ ઓસ્ટ્રેલિયાથી મોનોક્લોનલ એન્ટિબોડીઝના 20 વધુ ડોઝ મંગાવવા જઈ રહ્યા છે.
નિપાહને NiV તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, 1998માં મલેશિયાના સુંગાઈ નિપાહ ગામમાં NiVની શોધ થઈ હતી અને તેને નિપાહ નામ મળ્યું હતું. આ વાયરસ ડુક્કર અને ચામાચીડિયા દ્વારા મનુષ્યમાં ફેલાય છે. ખાસ વાત એ છે કે જ્યારે કોઈ પ્રાણી કે મનુષ્ય ચામાચીડિયા દ્વારા બગડેલ ફળો અથવા શાકભાજી ખાય છે, ત્યારે નિપાહનો ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. તે અત્યંત ચેપી છે.
ICMRએ શું કહ્યું?
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર, નિપાહ વાયરસના કારણે મૃત્યુદર 40-70% છે.
આ કોરોનાનસ મૃત્યુ દર કરતા ઘણો વધારે છે.
કોરોનાથી મૃત્યુ દર 2-3% છે.
આ દરમિયાન કેરળમાં વધુ એક નિપાહ વાયરસનો ચેપ લાગ્યો છે.
આ સહિત અહીં સંક્રમિત લોકોની કુલ સંખ્યા 6 થઈ ગઈ છે.
ICMR અનુસાર, આ રોગ માટે આપવામાં આવેલ મોનોક્લોનલ એન્ટિબોડી માત્ર 10 દર્દીઓ માટે બાકી છે.
મોનોક્લોનલ એન્ટિબોડીઝના 20 વધુ ડોઝનો ઓર્ડર આપવામાં આવ્યો છે, જેથી તે દર્દીઓને ચેપની શરૂઆતમાં આપી શકાય.
નિપાહ કેરળમાં જ શા માટે?
જો કે, તે કેરળમાં શા માટે ફેલાય છે તેનું કારણ સ્પષ્ટ નથી. 2018 માં, એવું જાણવા મળ્યું કે કેરળમાં તેનો પ્રકોપ ચામાચીડિયાથી સંબંધિત ફળ ખાવાથી થતો હતો પરંતુ તે મનુષ્ય સુધી કેવી રીતે પહોંચ્યો. આ વખતે પણ તેની તપાસ ચાલી રહી છે. નિપાહનો ખતરો મોટાભાગે વરસાદની મોસમમાં જ જોવા મળે છે. એવું કહેવાય છે કે નિપાહથી સંક્રમિત વ્યક્તિ દક્ષિણ-પૂર્વીય દેશોમાંથી આવી હોઈ શકે છે અને તેના કારણે અન્ય લોકો પણ પ્રભાવિત થઈ શકે છે. નિપાહનું મુખ્ય કેન્દ્ર મલેશિયા છે, હવે ડુક્કર અથવા ચામાચીડિયા આટલા લાંબા અંતરની મુસાફરી કરી શકતા નથી, તેથી ત્યાંથી ચેપગ્રસ્ત વ્યક્તિનું કેરળ આવવું એ એક મોટું સંભવિત કારણ હોઈ શકે છે.
આ પણ વાંચો:CWC/આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક હૈદરાબાદમાં,જાણો કયાં એજન્ડા પર થશે ચર્ચા,સોનિયા ગાંધી સહિત દિગ્ગજ નેતા થશે સામેલ
આ પણ વાંચો:Political/પૂર્વ CM કમલનાથે કર્યો ખુલાસો,મધ્યપ્રદેશમાં આ રીતે કોંગ્રેસની સરકાર પડી ભાંગી
આ પણ વાંચો:Global Leader Approval Rating/PM મોદી ફરી બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, આ દિગ્ગજોને છોડ્યા પાછળ