બાંગ્લાદેશના કિશોરગંજમાં સોમવારે પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 15 મુસાફરોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. રાજધાની ઢાકાથી લગભગ 80 કિલોમીટર દૂર ભૈરબ વિસ્તારમાં આ અકસ્માત થયો હતો. સ્થાનિક મીડિયાએ ઘટનાસ્થળે હાજર લોકોના હવાલાથી જણાવ્યું કે અકસ્માત ખૂબ જ ભયાનક હતો, ટ્રેનો અથડાવાનો જોરદાર અવાજ સંભળાયો. કેટલાક લોકો હજુ પણ ટ્રેનની નીચે ફસાયેલા છે. આ લોકો ક્ષતિગ્રસ્ત કોચની નીચે દટાયેલા છે. જો કે ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર સ્થાનિક પોલીસ અધિકારી સિરાજુલ ઈસ્લામે મૃત્યુઆંક વધવાનો અંદાજ લગાવ્યો છે. તેમણે કહ્યું કે આ અકસ્માતમાં કેટલાક લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે. ઘટનાસ્થળે હાજર લોકો પણ ક્ષતિગ્રસ્ત બોગી નીચે દટાયેલા ઘાયલોને બહાર કાઢવામાં મદદ કરી રહ્યા છે. ટ્રેન દુર્ઘટનાની જે તસવીર સામે આવી છે તેને જોઈને દુર્ઘટનાની તીવ્રતાનો અંદાજ લગાવી શકાય છે. ટ્રેનની એક બોગી સંપૂર્ણપણે પલટી ગયેલી જોવા મળે છે.
મુંબઈમાં ઉપનગરીય ટ્રેનના ડબ્બા અલગ થઈ ગયા
તે જ સમયે, રવિવારે સવારે મુંબઈમાં ઉપનગરીય ટ્રેનના ત્રણ ડબ્બા અલગ થઈ ગયા. જોકે, આ ઘટનામાં કોઈ મુસાફરોને ઈજા થઈ નથી. પશ્ચિમ રેલવેના એક અધિકારીએ આ માહિતી આપી હતી. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે બોરીવલી જતી ટ્રેન ચર્ચગેટ સ્ટેશનથી નીકળી હતી અને તેના કોચ મરીન લાઈન્સ ખાતે લગભગ 11.02 વાગ્યે અલગ થઈ ગયા હતા. તેમણે કહ્યું કે છેલ્લા ત્રણ કોચ બાકીની ટ્રેનથી અલગ થઈ ગયા છે. પશ્ચિમ રેલવે દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, ટ્રેન ચર્ચગેટથી બોરીવલી માટે સવારે 10.57 વાગ્યે રવાના થઈ હતી. મુસાફરોને ઉતારીને ટ્રેનના કાર શેડમાં લઈ જવામાં આવ્યા હતા અને ઘટના બાદ દહાણુ જતી ટ્રેનનો રૂટ બદલવામાં આવ્યો હતો. બોગીઓને જોડતા ભાગોમાં સમસ્યાના કારણે આ ઘટના બની હોવાની શક્યતા છે.
આ પણ વાંચો:સુરતમાં 19 વર્ષીય યુવક સુઈ ગયા બાદ ઉઠ્યો જ નહીં….
આ પણ વાંચો:વડોદરા ભાજપ યુવા મોરચા પ્રમુખે પોલીસની હાજરીમાં શખ્સને માર્યો ઢોર માર
આ પણ વાંચો:હિમોફેલિયાના દર્દીઓને પડતી મુશ્કેલી બાબતે MLA કુમાર કાનાણીએ લખ્યો આરોગ્ય મંત્રીને પત્ર