નાની દિવાળીના દિવસે ભગવાન રામની નગરીમાં વધુ એક નવો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો. અહીં આજે સરયુ નદીના 51 કિનારે 22 લાખ 23 હજાર દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. રામ મંદિરની અંદર 50 હજાર દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. સમગ્ર અયોધ્યા શહેરમાં 24 લાખથી વધુ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. આ સાથે આ વર્ષે એક નવો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. આ દીવાઓ પ્રગટાવવા માટે 25 હજારથી વધુ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. આ દરમિયાન અયોધ્યામાં 50થી વધુ દેશોના ઉચ્ચાયુક્તો અને રાજદૂતો હાજર રહ્યા હતા.
આ અવસર પર રાજ્યપાલ આનંદી બેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક અને ઘણા મોટા નેતાઓ અને અધિકારીઓ રામ નગરી પહોંચ્યા હતા. અહીં તેમણે ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણના સ્વરૂપો પર તિલક લગાવ્યું હતું. ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ હેલિકોપ્ટરમાં આવ્યા. અહીંથી આ લોકો રથમાં બેસીને અયોધ્યા જવા રવાના થયા. આ રથને સીએમ યોગી અને રાજ્યપાલ આનંદી બેન પટેલે ખેંચ્યો હતો.
અયોધ્યામાં દીપોત્સવના આ કાર્યક્રમની નોંધ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ થઈ છે. વિશ્વમાં સૌથી વધુ માટીના દીવા પ્રગટાવવાનો આ વિશ્વ રેકોર્ડ છે. આજના કાર્યક્રમે ગયા વર્ષે બનાવેલો પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. ગયા વર્ષે દીપોત્સવ કાર્યક્રમમાં 15 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા જ્યારે આ વખતે સમગ્ર અયોધ્યામાં 24 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: જાણો દિવાળી પર, લક્ષ્મી-ગણેશની પૂજા પદ્ધતિ, શુભ સમય, મહત્વ અને આ દિવસે શું કરવું અને શું ન કરવું
આ પણ વાંચો: કઈ રાશિના જાતકો પર આ દિવાળી મંડરાઈ રહ્યો છે ખતરો,જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય
આ પણ વાંચો: પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર, ભારતની આ ટીમ સાથે સેમી ફાઇનલમાં થશે ટક્કર