જમ્મુ-કાશ્મીર માંથી એક હૃદય હચમચાવી દેનારા સમાચાર આવી રહ્યા છે. અહીં રાજૌરીમાં આતંકીઓએ સેનાના એક વાહન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સેનાના ત્રણ જવાન શહીદ થયા હતા. રાજૌરીમાં થાનામંડી બફલિયાઝ રોડના પિઅર રિજ પાસે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી માહિતીના આધારે સેના અહીં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. ગઈ રાતથી CASO (કોર્ડન અને સર્ચ ઓપરેશન) ચાલી રહ્યું હતું પરંતુ આજે સાંજે (21 ડિસેમ્બર) આતંકવાદીઓએ જવાનોના વાહન પર ગોળીબાર કર્યો હતો. હુમલામાં અન્ય ત્રણ જવાનો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.
સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુરક્ષા દળોએ આતંકીઓને ઘેરી લીધા છે અને એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સુરક્ષાદળોએ 2 થી 3 આતંકીઓને ઘેરી લીધા છે.
#WATCH | Jammu & Kashmir: A joint operation was launched yesterday in the general area of Surankote and Bafliaz of Poonch and contact with terrorists has been established today. Encounter is underway.
(Visuals deferred by unspecified time) pic.twitter.com/wjH71WVrnw
— ANI (@ANI) December 21, 2023
ગુપ્તચર એજન્સીઓ એલર્ટ
તાજેતરમાં, ગુપ્તચર એજન્સીઓએ ભારતીય સેનાને એલર્ટ કર્યું હતું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં 250 થી વધુ આતંકવાદીઓ ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાની યોજના બનાવી રહ્યા છે. એલર્ટના કારણે સેનાએ પાકિસ્તાનની સરહદે આવેલા વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. સેના ખાસ કરીને સંવેદનશીલ સ્થળો પર નજર રાખી રહી છે.
સપ્ટેમ્બરમાં પણ ઘૂસણખોરીનો પ્રયાસ થયો હતો
હિમવર્ષા પછી, પાકિસ્તાન તરફથી આ ઘૂસણખોરી ઘણીવાર જોવા મળે છે, જેમાં પાકિસ્તાની સેના આતંકવાદીઓને મદદ કરે છે. આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને અનંતનાગમાં આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. આ એન્કાઉન્ટરમાં જવાનોએ એક આતંકીને ઠાર કર્યો હતો. આ હુમલામાં એક જવાન શહીદ થયો હતો અને અન્ય 3 લોકો ઘાયલ થયા હતા.
આ પણ વાંચો:બેંગલુરુ/નારાજ પ્રેમિકાને માનવતા કોન્સ્ટેબલે પોતાના પર છાંટ્યું પેટ્રોલ તો યુવતીએ ચાપી દીધી દીવાસળી
આ પણ વાંચો:WFI/સંજય સિંહના WFI પ્રમુખ બનવાથી નારાજ સાક્ષી મલિકે કુસ્તી છોડવાની કરી જાહેરાત
આ પણ વાંચો:Lok Sabha/લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત, PM મોદી પહોંચ્યા ગૃહમાં
