સામાન્ય રીતે ભારત વિરુદ્ધ નિવેદનો આપતા ચીને તાજેતરના વર્ષોમાં પ્રથમ વખત ભારતની તાકાતનો સ્વીકાર કર્યો છે. પીએમ મોદીના વખાણ કરતા ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે ભારત એક આત્મવિશ્વાસ ધરાવતો દેશ છે જે પોતાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઝડપથી આગળ વધી રહ્યો છે. ફુદાન યુનિવર્સિટીના સેન્ટર ફોર સાઉથ એશિયન સ્ટડીઝના ડાયરેક્ટર ઝાંગ જિયાડોંગે લખ્યું છે કે ભારત આર્થિક અને સામાજિક વિકાસની સાથે-સાથે રાજદ્વારી ક્ષેત્રે પણ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. તેમને આગળ લખ્યું કે ભારતે આર્થિક વિકાસ અને સામાજિક શાસનમાં ઉત્તમ પરિણામો હાંસલ કર્યા છે.
પીએમ મોદીના ખૂબ વખાણ
‘ઝડપી આર્થિક અને સામાજિક વિકાસની સાથે ભારત હવે વ્યૂહાત્મક રીતે વધુ આત્મવિશ્વાસ ધરાવતું બન્યું છે. ભારત હવે કથાના નિર્માણ અને વિકાસમાં વધુ સક્રિય બન્યું છે. જ્યારથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી છે ત્યારથી, તેમણે યુએસ, જાપાન, રશિયા અને અન્ય દેશો અને પ્રાદેશિક સંગઠનો સાથે ભારતના સંબંધોને વેગ આપવા માટે બહુ-સંરેખણ વ્યૂહરચનાની હિમાયત કરી છે. વિદેશ નીતિને લઈને ભારતની વ્યૂહાત્મક વિચારસરણીમાં પરિવર્તન આવ્યું છે અને તે હવે વધુ શક્તિશાળી વ્યૂહરચના તરફ આગળ વધી રહ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતે પોતાને પશ્ચિમથી દૂર કરી દીધા અને વિકાસશીલ દેશો સાથે જોડાયા.
‘ભારત સ્વપ્નમાંથી વાસ્તવિકતા તરફ આગળ વધ્યું’
જિયાડોંગે પોતાના લેખમાં આગળ લખ્યું, ‘હું તાજેતરમાં જ બે વખત ભારતની મુલાકાત લીધી હતી. આ સમય દરમિયાન મેં જોયું કે ભારતની સ્થાનિક અને વિદેશી પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. ભારતે આર્થિક વિકાસ અને સામાજિક શાસનમાં સારા પરિણામો પ્રાપ્ત કર્યા છે. ભારતની શક્તિ વ્યૂહરચના સ્વપ્નમાંથી વાસ્તવિકતા તરફ આગળ વધી છે. તેની અર્થવ્યવસ્થાને વેગ મળ્યો છે. દરમિયાન, નવી દિલ્હીએ શહેરી શાસનમાં પણ પ્રગતિ કરી છે. અહીં હજુ પણ ધુમ્મસ પ્રચંડ છે, પરંતુ પ્લેનમાંથી ઉતરતી વખતે જે ગંધ પહેલા અનુભવાતી હતી તે હવે ગાયબ થઈ ગઈ છે. આ દર્શાવે છે કે નવી દિલ્હીમાં વાતાવરણમાં પણ સુધારો થયો છે.
‘ભારત હવે વિશ્વ નેતા બનવા માંગે છે’
જિયાડોંગે લખ્યું છે કે, ‘રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે ભારત પશ્ચિમ સાથે તેની લોકતાંત્રિક સહમતિ પર ભાર મૂકીને આગળ વધ્યું છે. ભારત હવે રાજકીય અને સાંસ્કૃતિક રીતે વિશ્વ નેતા બનવા માંગે છે. ભારત હવે તેની સાંસ્કૃતિક પરંપરાને માત્ર તેના હિતોને હાંસલ કરવા અને વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટેના પ્રતીક તરીકે જ નહીં, પરંતુ તે તેને એક મહાન શક્તિ તરીકે પણ જુએ છે. ભારત હંમેશા પોતાની જાતને વિશ્વ શક્તિ માને છે.
આ પણ વાંચો:Political/રાજસ્થાનમાં ભાજપ સરકારે ગેહલોત સરકારનો આ નિર્ણય બદલ્યો,CMએ લીધો આ મહત્વનો ફેંસલો
આ પણ વાંચો:loksabha election/પી ચિદમ્બરમની અધ્યક્ષતામાં લોકસભા ચૂંટણીના મેનિફેસ્ટો માટે પ્રથમ બેઠક મળી,વિવિધ મુદ્દા પર થઇ ચર્ચા
આ પણ વાંચો:loksabha election/આંધ્રપ્રદેશમાં કોંગ્રેસને મળી સંજીવની, CM રેડ્ડીની બહેન શર્મિલાએ પોતાની પાર્ટીનું કોંગ્રેસમાં કર્યું વિલીનીકરણ