Bhakti News: હિંદુ ધર્મમાં તુલસીનું મહત્વ ઘણું હોય છે. પવિત્ર તુલસી અને વૃંદાવની તુલસીના નામથી પણ તેને ઓળખવામાં આવે છે. શાસ્ત્રો મુજબ, ભગવાન વિષ્ણુને તુલસીને પત્નીનું સ્વરૂપ માનવામાં આવે છે. તુલસીનો છોડ લગાવવાથી લક્ષ્મીના આર્શીવાદ પ્રાપ્ત થાય છે. ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર નિયમિત રીતે તુલસીની પૂજા અને જળ ચઢાવવાની સાથે જો તમે તેમાં આ વસ્તુ નાખશો તો દેવી લક્ષ્મી તેનાથી ખૂબ જ પ્રસન્ન થશે. આવો જાણીએ શું છે તે ખાસ વસ્તુ.
તુલસીને શેરડીનો રસ અર્પણ કરવો
તુલસીના છોડને શેરડીનો રસ ચઢાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસીને શેરડીનો રસ ચઢાવવાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. આ સાથે પરિવારના સભ્યો વચ્ચેના સંબંધો વધુ સારા રહે છે. તેથી તુલસીની પૂજા કરતી વખતે શેરડીનો રસ અવશ્ય અર્પણ કરવો જોઈએ.
નિયમિત પાણી
તુલસીના છોડને નિયમિત પાણી આપવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કહેવાય છે કે રોજ તુલસીના ઝાડને જળ અર્પિત કરવાથી માતા તુલસીની કૃપા હંમેશા લોકો પર બની રહે છે. જો કે એ વાતનું ધ્યાન રાખો કે રવિવારે તુલસીને જળ ન ચઢાવો. આવું કરવાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે.
ઘીનો દીવો
તુલસીના છોડની સામે નિયમિતપણે ઘીનો દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે તુલસીની સામે ઘીનો દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે. આ સાથે ઘરમાં ક્યારેય કોઈ આર્થિક સમસ્યા રહેતી નથી.
માતા તુલસીને પણ કાચું દૂધ અર્પણ કરો.
શાસ્ત્રોમાં દૂધને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો તમે તુલસીના છોડને કાચું દૂધ ચઢાવો છો તો તેનાથી ઘરમાં ખુશીઓ આવે છે. આ સાથે આર્થિક લાભ પણ મળે છે.
આ પણ વાંચોઃ હોળી પર આ ફિલ્મો થઈ હતી રિલીઝ, જાણો કુલ કલેક્શ
આ પણ વાંચોઃ ડાકોરમાં રંગોત્સવને લઈ હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર
આ પણ વાંચોઃ પૂર્ણિમાના દિવસે ડાકોરમાં લાખો ભક્તોએ રણછોડરાયના દર્શન કર્યા…