સુરતના તાતીથૈયામાં બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં બાળકી પર દુષ્કર્મ કર્યા બાદ આરોપીએ બાળકીને મોતને ઘાટ ઉતારી. તાતીથૈયામાં બાળકી સાથે દુષ્કર્મ વિથ મર્ડરની ઘટનામાં ખુલાસો થયો છે. આ ઘટનામાં બાળકીને મોતને ઘાટ ઉતારનાર બે આરોપી ઝડપી પાડવામાં આવ્યા છે.
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ તાતીથૈયામાં 18 માર્ચે બાળકી ગુમ થઈ હતી. અને ગુમથયાના થોડા જ દિવસમાં 23 તારીખે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકીનો મૃતદેહ જોતા કંઈક અઘિટત થયાનું લાગતું તબીબી તપાસ કરવામાં આવી. જેમાં સામે આવ્યું કે બાળકી પર દુષ્કર્મ થયું છે. પોલીસે 15થી વધુ ટીમો બનાવી શકમંદ શખ્સની શોધખોળ આદરી હતી. આ ઘટનામાં પોલીસે 600થી વધુ ઘરોની તપાસ કરી હતી. અને તપાસમાં બે શખ્સ પર શંકા જતા તેમની કડકાઈથી પૂછપરછ કરવામાં આવતા બંને વ્યક્તિઓએ ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે બંને આરોપીની ધરપકડ કરતા વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Gujarat-Heartattack/સુરતમાં 35 વર્ષીય જિમ ટ્રેનરનું હાર્ટએટેકથી મોત, કોઈપણ બીમારી ના હોવા છતાં યુવાન થયો હાર્ટએટેકનો શિકાર
આ પણ વાંચોઃ Surendranagar/ચોટીલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળ પર જ 3ના મોત
આ પણ વાંચોઃ cm arvind kejrival/અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આપ પાર્ટી આજે PM મોદીના નિવાસ્થાનનો કરશે ઘેરાવો, પોલીસે ટ્રાફિક એડવાઈઝરી કરી જાહેર