સુરેન્દ્રનગર ચોટીલા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. ચોટીલા નજીક આપાગીગાના ઓટલા પાસે એક એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થયો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળ પર જ 3 લોકોના મોત નિપજયા. અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળ પર પંહોચી ગઈ. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યા બાદ ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા.
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ ચોટીલાના આપાગીગાના ઓટલા પાસે ભયંકર અકસ્માત બનવા પામ્યો. આપાગીગા પાસે ચોટીલાથી રાજકોટ તરફ જઇ રહી હતી એમ્બ્યુલન્સ ટ્રક સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં 3 લોકોના મોત નિપજયા છે. ગમખ્વાર અકસ્માતમાં એમ્બ્યુલન્સના ચાલક અને બે મહિલા સહિત ત્રણના ઘટનાસ્થળ પર મોત થયા છે. મૃતકોના નામ વિજયભાઈ બાવળીયા ઉ. વ. 39 (એમ્બ્યુલન્સ ચાલક), પાયલબેન મકવાણા ( ઉંમર વર્ષ 18) અને ગીતાબેન મીયાત્રા (ઉંમર વર્ષ 45) હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ uttarpradesh news/જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અંસારીની તબિયત બગડી , સ્લો પોઈઝન અપાતું હોવાના આરોપ જેલ પ્રસાસનને ફગાવ્યા
આ પણ વાંચોઃ BJP-Congress/કોંગ્રેસ નેતા સુપ્રીયા શ્રીનેતે કંગના રનૌત પર અભદ્ર કમેન્ટ કરવા પર રાજકારણમાં ગરમાવો, ભાજપના આકરા પ્રહાર, NCW એકશનમાં
આ પણ વાંચોઃ Delhi Capitals/IPL 2024માં દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયો સ્ટાર ખેલાડી
આ પણ વાંચોઃ Border–Gavaskar Trophy/બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે લેવાયો આ મહત્વનો નિર્ણય