New Delhi News: દેશના અન્નદાતાને પોતાના કાપની લણણીથી કાપણી સુધી કેટલીયે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હવામાનની વિપરીત અસર થી આર્થિક માર પણ સહન કરવો પડે છે. જેમાં ઉંદરો દ્વારા થતા રોગોનો પણ સમાવેશ થાય છે. તેથી સરકાર દ્વારા ચેપી રોગ અંકુશ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
ઉંદર અને છછૂંદર ખેતરોમાં દર બનાવીને રહે છે. જેથી પાકોને ઘણું નુકસાન પહોંચે છે. બિમારીઓથી બચવા કૃષિ વિભાગે એડવાઈઝરી જારી કરી છે. સરકારે 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ચેપી રોગ અંકુશ અભિયાન ચલાવવાની તૈયારીમાં છે. ઉંદરોમાં લેપ્ટોસ્પાયરોસિસ અને સ્ક્રબ ટાઈફસ રોગ ફેલાય છે. બેક્ટેરિયા દ્વારા થતો એક્યુટ રોગ છે. ઝાડી-ઝાંખરામાં આવા કીટકો જોવા મળે છે.આવી જગ્યાએ ઉંદરો પણ જોવા મળે છે. જેથી આ રોગ ઉંદરોમાં પણ ફેલાય છે. ઉંદરોમાંથી ખેતરમાં કામ કરતા ખેડૂતોમાં આ રોગ ફેલાય છે.
લેપ્ટોસ્પાયરોસિસ અને સ્ક્રબ ટાઈફસથી સંક્રમિત કોઈ કીટક જ્યારે કોઈને નુકસાન પહોંચાડે છે તો 21 દિવસોમાં જ તેના લક્ષણો જોવા મળે છે. તાવ આવે તેવા લક્ષણો જોવા મળે છે. આ ગંભીર રોગથી બચવા સરકારે એડવાઈઝરી જારી કરી છે. ખેડૂતોએ લાંબી બાયના કપડા પહેરવા, ઘરે આવીને હાથ ધોવા, ઘાસ કે જમીન પર સૂવું નહીં, ઉંદરોના દર થવા ન દો.
આ પણ વાંચો:ગુજરાતમાં કોરોનાએ ફરીથી માથુ ઉચક્યુ, એક્ટિવ કેસ 53ને પાર, એકનું મોત
આ પણ વાંચો:રાજકોટ મહાનગર પાલીકા દ્વારા સંચાલીત પ્રાણી સંગ્રલાયમાં સફેદ વાધના બે બચ્ચાનો જન્મ થયો
આ પણ વાંચો:કોંગ્રેસમાં ગાબડા યથાવત્: સાબરકાંઠાના મહામંત્રી ડી.ડી.રાજપૂતે પક્ષ છોડ્યો
આ પણ વાંચો:ભાજપના નેતા અર્જુન મોઢવાડિયાનો રાસ રમતો વિડીયો વાયરલ