રાજકોટ મહાનગર પાલીકા દ્વારા સંચાલીત પ્રાણી સંગ્રલાયમાં સફેદ વાધના બે બચ્ચાને જન્મ થયો છે. રાજકોટ પ્રાણી સંગ્રાલયમાં હાલ સૌરાષ્ટનાં પ્રવાસીઓ ફરવા માટે આવતા હોય છે. અને આ પ્રાણી સંગ્રાલય પ્રવાસીઓ માટે ખૂબજ ઉત્તમ સ્થળ બની ગયુ છે.અને સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન મુજબ પ્રાણી સંગ્રાલયનો વિકાસ કરાતા લોકો પ્રવાસ માટે પણ આવે છે.
આ પ્રાણી સંગ્રાલયમાં લોકો જાહેર રજા તથા તહેવોરોમાં મજા માણવા આવતા હોય છે.અને દર વર્ષે અંદાજિત 7.50 લાખ લોકો આ પ્રાણી સંગ્રાલયની મુલાકાત લે છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેથળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણીઓ મેળવીને ઝૂનો વિકાસ કરવામાં આવે છે. સફેદ વાધ નર દિવાકર તથા માદા વાધણ ગાયત્રીના સંવનનથી તારીખ 25ના રોજ સાંજના સમયે બે વાધ બાળનો જન્મ થયો છે. ઝૂ વેટરનરી ઓફિસ તથા ટીમ દ્વારા માતા તથા બચ્ચાનુ સીસીટીવી દ્વારા રાઉન્ડ ધ ક્લોક મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે.
આ પણ વાંચો:અજિત પવારની એનસીપી હેઠળ ભાજપ સાથે જોડાવવાનો આ નેતાને મળ્યો ફાયદો
આ પણ વાંચો:વલસાડમાં વીજ કરંટ લાગતા એક યુવકનું મોત
આ પણ વાંચો:યૂક્રેનના વિદેશમંત્રી આજથી બે દિવસ ભારતની સત્તાવાર યાત્રા પર, શા માટે મુલાકાત મહત્વની છે…
આ પણ વાંચો:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાને લઈ મહત્વનું અપડેટ