સંદેશખાલીમાં જમીન પચાવી પાડવા અને ખંડણીના મામલામાં કોર્ટ દ્વારા દેખરેખ હેઠળની CBI તપાસને પડકારતી બંગાળ સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સોમવારના રોજ સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર પ્રકાશિત વિગતો અનુસાર જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચ 29 એપ્રિલે સ્પેશિયલ લીવ પિટિશન પર સુનાવણી કરશે. સંદેશખાલીમાં મહિલાઓ સામેના ગુનાઓ અને જમીન હડપ કરવાના આરોપોની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) તપાસનો નિર્દેશ આપ્યો હતો. આ તપાસના વિરુદ્ધમાં બંગાળ સરકારે અરજી કરી હતી.
એપ્રિલના બીજા સપ્તાહમાં આપેલા આદેશમાં, કોલકત્તા હાઈકોર્ટે સીબીઆઈને વિશેષ તપાસ ટીમની રચના કરીને કેસમાં તેની તપાસ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ટી.એસ. જસ્ટિસ શિવગનમ અને જસ્ટિસ હિરન્મય ભટ્ટાચાર્યની ડિવિઝન બેન્ચે તપાસ એજન્સીને વિગતવાર રિપોર્ટ સોંપવા કહ્યું, ત્યાર બાદ કોર્ટ આગળની કાર્યવાહી પર નિર્ણય કરશે તેમ જણાવ્યું હતું. તેણે સીબીઆઈને એક અલગ પોર્ટલ અને ઈમેલ ખોલવાનો નિર્દેશ આપ્યો કે જેના પર સંદેશખાલીના પીડિતો જમીન પચાવી પાડવા અને ખંડણી સંબંધિત તેમની ફરિયાદો નોંધાવી શકે.
2016માં બંગાળમાં ટીચિંગ અને નોન-ટીચિંગ પોસ્ટ્સ પર કરવામાં આવેલી 25,753 નિમણૂકોને રદ કરવાના કલકત્તા હાઈકોર્ટના આદેશ સામે બંગાળ સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટ સોમવારે સુનાવણી કરશે. વેબસાઈટ પર પ્રકાશિત વિગતો અનુસાર CJI DY ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા 29 માર્ચે સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી કરશે.
કોર્ટે કેન્દ્રીય એજન્સીને ફરિયાદીઓની ઓળખ અંગે સંપૂર્ણ ગુપ્તતા જાળવવાનો આદેશ પણ આપ્યો હતો. માર્ચની શરૂઆતમાં, સુપ્રીમ કોર્ટે 5 જાન્યુઆરીએ ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલીમાં ED અને CAPF ટીમો પર થયેલા હુમલાની CBI તપાસને પડકારતી રાજ્ય સરકારની અરજીને ફગાવી દીધી હતી.
આ પણ વાંચો: છત્તીસગઢમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 8 લોકોના મોત, 23 લોકો ગંભીરપણે ઘાયલ
આ પણ વાંચો:ED પર વધતા જોખમને લઈ ગૃહ મંત્રાલયે લીધો મહત્વનો નિર્ણય