Latest Surat News/ ડાયમંડસીટી સુરતમાં હત્યાના ગુનામાં વધારો, 3 દિવસમાં થઈ 5 હત્યા

ડાયમંડસીટી સુરતમાં હત્યાના ગુનામાં વધારો થવા લાગ્યો છે. સુરતમાં એક જ દિવસમાં હત્યાનો સિલસિલ જોવા મળ્યો.

Top Stories Gujarat Surat
Beginners guide to 2024 04 04T113950.802 ડાયમંડસીટી સુરતમાં હત્યાના ગુનામાં વધારો, 3 દિવસમાં થઈ 5 હત્યા

ડાયમંડસીટી સુરતમાં હત્યાના ગુનામાં વધારો થવા લાગ્યો છે. સુરતમાં ત્રણ દિવસમાં હત્યાનો સિલસિલ જોવા મળ્યો. શહેરમાં પ્રેમ પ્રકરણમાં 24 કલાકની અંદર જ 2 હત્યા અને શહેરમાં એક જ રાત્રિમાં જુદા-જુદા સ્થાનો પર બે લોકોની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. વરાછા અને લીંબાયત અને ખટોદરા અને મહિધરપુરામાં વિસ્તારમાં પ્રેમ કરતા મળી મોતની સજા. શહેરના વરાછા અને લિંબાયત વિસ્તારમાં એક યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી. યુવકને નૂરાની મસ્જિદ પાસે જે બે ભાઈઓએ તેમની બહેન સાથે પ્રેમ સંબંધ રાખવા બાબતે યુવકને મોતને ઘાટ ઉતાર્યો. બે ભાઈઓ જ્યારે યુવકને માર મારી રહ્યા હતા ત્યારે તેને મદદ કરનાર વ્યક્તિને પણ ગંભીર રીતે ઘાયલ કર્યો.

લિંબાયતમાં આઝાદ ચોકમાં રહેતા શહેબાઝ અસ્લખાન કાજી તેના મિત્ર સાથે નૂરાની મસ્જિદ પાસે બેઠા હતા. ત્યારે અચાનક બે શખ્સ આવીને તેમના પર હુમલો કર્યો. સમીર મર્દાનગી અને આમિન કાલુ નામના બે શખ્સે તેમની બહેન સાથે કેમ પ્રેમ સંબંધ રાખે છે તેમ કહી યુવક શહેબાઝ અસ્લખાનને પેટ અને હાથના ભાગે ચપ્પુના ઘા ઝીંક્યા. દરમ્યાન તેનો મિત્ર વચ્ચે પડતા તેને પણ માર માર્યો. શહેબાઝ અને તેનો મિત્ર ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને જ્યારે સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા ત્યારે ડોક્ટરે શહેબાઝને મૃત જાહેર કર્યો. અને તેના મિત્ર નૂરાની હજી સારવાર હેઠળ છે. આ ઘટનામાં સમીર મર્દાનગી અને આમિન કાલુ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

શહેરમાં વરાછા વિસ્તારમાં પણ ગતરોજ પ્રેમ પ્રકરણના કારણે એક યુવકની હત્યા કરવામાં આવી હતી. આ યુવક વરાછાના ગીતાનગરનો રહેવાસી છે. હત્યા કરવામાં આવેલ 24 વર્ષીય મેહુલ સોલંકી નામનો યુવક એક રત્ન કલાકારની નોકરી કરતો હતો. રત્ન કલાકાર મેહુલને તેની સોસાયટીમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. યુવતીના પ્રેમ સંબંધની પરિવારજનોને જાણ થતા તેઓ મકાન બદલી અન્ય સ્થાન પર રહેવા ગયા. છતાં યુવતી અને રત્ન કલાકાર યુવક એકબીજાના સંપર્કમાં હતા. યુવતી બહેનપણીના ઘરે યુવકને મળવા બોલાવતી. યુવતીના પરિવારને આ બાબતની જાણ થતા જ્યારે આ યુવતીએ મેહુલને મળવા પંહોચી ત્યારે તેના કાકા અને ભાઈઓએ યુવકને માર માર્યો અને વધુ પડતી ઇજાના કારણે યુવકનો મોત નિપજ્યું.

સુરતમાં હત્યાનો સીલ સીલો જોવા મળ્યો. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ શહેરમાં વધુ 2 હત્યાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ગતરાત્રે સુરતમાં એક જ રાત્રિમાં હત્યાના બનાવ બન્યો. મહિધરપુરા બાદ ચોકબજારમાં યુવકને મારમારી હત્યા કરવામાં આવી. ચોક બજાર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 

આ પણ વાંચો: Pregnancy Test/બાવળામાં ગર્ભપરીક્ષણ કરતાં સ્ત્રીરોગ વિશેષજ્ઞ ડોક્ટર પકડાયા

આ પણ વાંચો: Gujarat University News/ચાર વર્ષના વિલંબ પછી ગુજરાત યુનિ. NAAC માન્યતા પ્રાપ્તિ માટે અરજી કરશે