Odisha Accident News/ જાજપુરના નેશનલ હાઈવે પર બસ ઓવરબ્રિજથી નીચે પડતા સર્જાયો ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 40 લોકો ઇજાગ્રસ્ત

ઓડિશાના જાજપુર જિલ્લામાં નેશનલ હાઈવે-16 પર સોમવારે મોડી રાત્રે એક બસ ઓવરબ્રિજ પરથી પડી જતા ભયનાક અકસ્માત બનવા પામ્યો.

Top Stories India

ઓડિશાના જાજપુર જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. અહીં નેશનલ હાઈવે-16 પર સોમવારે મોડી રાત્રે એક બસ ઓવરબ્રિજ પરથી પડી ગઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 40થી વધુ લોકો ઘાયલ છે. ઘણા લોકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. લગભગ 10 લોકોને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે, બસ મુસાફરોને લઈને બંગાળ જઈ રહી હતી. ઘટના બાદ મુખ્યમંત્રી નવીન પટનાયકે અધિકારીઓને ઘટનાસ્થળે મોકલ્યા છે અને ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. મૃતકોના પરિવારજનો અને ઘાયલોને વળતરની જાહેરાત કરવામાં આવી છે. માર્યા ગયેલાઓમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે.

ડ્રાઈવરે ગુમાવ્યો કાબૂ

જણાવવામાં આવી રહ્યું છે કે મહિલાઓ અને બાળકો સહિત લગભગ 55 મુસાફરોને લઈને બસ પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લાના હલ્દિયા જઈ રહી હતી. બસના ડ્રાઇવરે કથિત રીતે કાબૂ ગુમાવ્યો હતો અને રાત્રે 8 વાગ્યાની આસપાસ રસૂલપુર વિસ્તારમાં જાજપુરમાં બારાબતી ચોક પાસેના ઓવરબ્રિજ પરથી વાહન નીચે પડી ગયું હતું.

માહિતી મળતાં રસુલપુર અને ચંડીખોલ ફાયર સ્ટેશનના ફાયર સર્વિસના જવાનો તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી ગયા હતા અને સ્થાનિક લોકોની મદદથી પીડિતોને બચાવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ ગેસ કટરની મદદથી ઘાયલોને બસમાંથી બહાર કાઢ્યા હતા. બચાવ કામગીરીમાં 16 એમ્બ્યુલન્સ અને ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

40થી વધુ મુસાફરો ઘાયલ
જાજપુરના પોલીસ અધિક્ષક, ડોકટરોની એક ટીમ અને જિલ્લા વહીવટીતંત્રના અન્ય અધિકારીઓ પણ બચાવ કામગીરીની દેખરેખ માટે અકસ્માત સ્થળે પહોંચ્યા હતા. લગભગ 40 ઘાયલ મુસાફરોને ધર્મશાળાની નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ 5ને મૃત જાહેર કર્યા. બે લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. 10 થી વધુ મુસાફરોને SCB મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીની વળતરની જાહેરાત
આ દુ:ખદ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા મુખ્યમંત્રી નવીન પટનાયકે મૃતકોના પરિવારજનોને 3 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમની જાહેરાત કરી છે. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે ઘાયલોની સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર બિહારના બે શુટરો કચ્છમાંથી ઝડપાયા

આ પણ વાંચો:રૂપાલા વિવાદનો અંત લાવવા મોડી રાત્રે CM નિવાસ્થાને ક્ષત્રિય આગેવાનોની બેઠક મળી

આ પણ વાંચો:વિધર્મી યુવકે મહિલાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું

આ પણ વાંચો:પોરબંદર ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ભર્યું નામાંકન ફોર્મ