Gandhinagar News: ગઈકાલે મોડી રાત્રે CM નિવાસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ઉપરાંત અનિરુદ્ધસિંહ જાડેજા (રીબડા), હકુભા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ પણ મોડી રાત્રે બેઠકમાં હાજર રહ્યા હતા.
રાજકોટમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલનના 24 કલાકમાં જ ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે વિવાદને ઉકેલવાની ગતિવિધિ તેજ બની ગઈ છે. મોડી રાત્રિ સુધી ચાલેલી બેઠકમાં પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈને આ વિવાદ ઉકેલવા મંત્રણા શરૂ થઈ ગઈ છે. આજે પરશોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા બેઠક પરથી ઉમેદવારીનું ફોર્મ ભરવાના હોવાથી બંને પક્ષો માટે ગઈકાલ રાત્રિની બેઠક મહત્વની હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
CM ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી પ્રચાર કાર્યક્રમને પૂરો કરી નિવાસ્થાને પરત ફર્યા હતા. મોડી રાત સુધી ચાલેલી આ બેઠકમાં શું નિષ્કર્ષ નીકળ્યો તે સત્તાવાર રીતે જાણવા મળ્યું નથી.
આ પણ વાંચો:વિધર્મી યુવકે મહિલાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું
આ પણ વાંચો:પોરબંદર ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ભર્યું નામાંકન ફોર્મ
આ પણ વાંચો:કેસર કેરીથી જાણીતા આ જીલ્લાના રાજકારણની આ છે ખાસીયત,વાંચો મંતવ્ય ન્યૂઝનો ખાસ અહેવાલ
આ પણ વાંચો:વિઝા એજન્સીના માલિકે જીમ સંચાલક સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરી