Dharma: આપણે સૌ ભગવાનની પ્રતિમાને કઈ દિશામાં મૂકવી તેને લઈને હંમેશા અસમંજસમાં હોઈએ છીએ. માન્યતા મુજબ ઘરમાં ભગવાનની પ્રતિમા સ્થાપિત કરવાથી તેનું સંપૂર્ણ ફળ મળે છે. પૂજાસ્થળમાં વાસ્તુદોષ હોવાથી વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
હનુમાનજીની પ્રતિમાને દક્ષિણ દિશામાં સ્થાપિત કરવી જોઈએ આ દિશામાં ફોટો લગાવતી વખતે એ ખાસ જોવું જોઈએ કે હનુમાનજી બેઠા હોય.
બેડરૂમમાં હનુમાનજીનો ફોટો ક્યારેય મૂકવો ન જોઈએ. આનાથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે.
હનુમાનજીના ફોટાની નિયમિત સાફસફાઈ કરવી જોઈએ. રોજ આરતી કરવી. દર મંગળવારે સુંદરકાંડના પાઠ કરવા.
ઉપરાંત, નકારાત્મક શક્તિઓથી છૂટકારો મેળવવા દક્ષિણ દિશામાં દીવાલ પર લાલ રંગમાં બેઠેલા હનુમાનજીની પ્રતિમા કે ફોટો મૂકવો જોઈએ.
વાસ્તુ મુજબ હનુમાનજીનો ફોટો કે મૂર્તિ સીઢીની નીચે કે રસોડામાં લગાવો ન જોઈએ. આનાથી ઘરમાં કલેશ, સંબંધોમાં અણબનાવ, નકારાત્મકતા ફેલાય છે. માન્તા મુજબ ઘરના મુખ્યદ્વારની બહાર પંચમુખી હનુમાનજીનો ફોટો મૂકવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે.
ઘરના ડ્રોઈંગ રૂમમાં શ્રીરામની તસ્વીર લગાવી શકાય છે. તે સિવાય હનુમાનજી પર્વત ઉઠાવતા લઈ જતાં હોય તેવો ફોટો પણ દીવાલ પર લગાવી શકાય છે.
આ પણ વાંચો:રસોડામાં વપરાતા મસાલાઓનું ગ્રહો સાથે શું સંબંધ છે?
આ પણ વાંચો:
આ પણ વાંચો:શનિ બનાવશે શશ પંચમહાપુરુષ યોગ, શનિ ગોચરમાં આ 3 રાશિને થશે લાભ