@Pooja nishad
Surat News: સુરતની નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર જાણે ખખડ ધજ હોય તેવું લાગી રહ્યું છે.હાલ ફરી એકવાર સુરતની નવી સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે.માહિતી અનુસાર સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીને કોઈ પણ વ્યવસ્થા વગર આપી દેવામાં આવી રજા .જી હા દર્દીને બેડ ખાલી કરી દેવામાટે ફોર્સ કરવામાં આવ્યો હતો તેમજ તેને કોઈ પણ વ્યવસ્થા વગર સારવાર આપવામા આવી હતી.
સુરતમાંથી આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, અહીં સિવિલ તંત્ર દ્વારા ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે, સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતો દર્દી ને કોઈ પણ પ્રાથમિક વ્યવસ્થા વગર રજા આપી દેવાઈ હતી, જે બાદ દર્દી સવારથી બાકડા પર સૂતો રહ્યો અને રઝળતો રહ્યો હતો, સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલના ડોક્ટરએ દર્દીને બેડ ખાલી કરાવી દેવાનું કહ્યું અને ડોક્ટરએ બેડ ખાલી નહીં કરે તો પોલીસ આવીને ખાલી કરાવશે બેડ એવા આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે, જેથી પોલીસના ડરથી દર્દી સવારે બેડ ખાલી કરી બાકડા પર રઝડતી હાલતમાં જોવા મળ્યો હતો. આ મામલે મીડિયાએ દર્દીની નોંધ લેતા સિવિલ તંત્ર દોડતું થયું હતું અને તાત્કાલિક દર્દીને ફરી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યું હતું,
અવાર નવાર ચર્ચામાં આવતી સિવિલ હોસ્પિટલ ફરી એક વાર ચર્ચામાં આવી છે,મળતી મહોઈતી અનુસાર હોસ્પિટલમાં દર્દી બાકડા પર રજળતી હાલતમાં જોવા મળ્યો હતો જેને ડોક્ટરોએ ચાલુ સારવારે બેડ ખાલી કરવા માટે કહ્યું હતું પરિવારનો આક્ષેપ છે કે સિવિલ હોસ્પિટલના ડોક્ટરએ દર્દીને બેડ ખાલી કરાવી દેવાનું કહ્યું હતું તેમજ જો બેડ ખાલી નહિ કરે તો પોલીસ આવીને ખાલી તેમનો બેડ ખાલી કરાવશે તેવી ધમકી પણ આપી હતી.જેના કરને દર્દીએ સ્વર થતા પહેલાજ બેડ ખાલી કરી દીધો હતો અને જઈને બાકડા પર સુઈ ગયો હતો.ત્યાર બાદ મીડિયાએ દર્દીની નોંધ લઇ સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હતી,જેના પછી સમગ્ર સિવિલ તંત્ર થયું દોડતું થયું હતું. અને તેમને ફરી દર્દીને વોર્ડમાં દાખલ કરવાની ફરજ પડી હતી. આપને જણાવી દઈએદ ર્દી સવારથી બાકડા પર રજડતી હાલતમાં જોવા મળ્યો હતો. જેને કારણે સમગ્ર પરિવાર ચિંતામાં હતો.
આ પણ વાંચો:વિશ્વાસ જ ગુમાવી દેશે લોકો; બંગાળના શિક્ષક ભરતી કૌભાંડ પર બોલ્યા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
આ પણ વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે….