@પૂજા નિષાદ
સુરતઃ સ્માર્ટ સિટી સુરતમાં સ્માર્ટ મીટર (Smart Meter) સામેનો વિરોધ ઉગ્ર બનતો જઇ રહ્યો છે. શહેરના પુનાગામમાં આવેલી આશીર્વાદ સોસાયટીઓ સહીત અનેકો સોસાયટીની બહાર બેનર લગાવી દીધા છે. આમાં સ્માર્ટ મીટરની કામગીરી માટે સોસાયટીમાં પ્રવેશ ન કરવા ડીજીવીસીએલના કર્મચારીઓને જણાવાયું છે..
સ્માર્ટ વીજમીટરના વિરોધ વચ્ચે લોકો સોસાયટીઓ બહાર સ્માર્ટ મીટરના બેનરો લગાડી વિરોધ દર્શાવી રહ્યા છે, વિવિધ સોસાયટીઓમાં મીટિંગો કરી લોકોને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરાઈ હતી. હાલમાં ઘણી સોસાયટીઓમાં બેનર લગાવી દેવાયા છે કે, ‘‘સ્માર્ટ મીટર માટે વિધાઉત પરમિશન વગર સોસાયટીમાં આવવું નહીં.
પુણાની આશીર્વાદ સોસાયટીની કરીયે તો સ્પષ્ટ શબ્દોમાં જાણવામાં આવ્યું છે કે સોસાયટીની લેખિત પરમિશન વગર પ્રવેશ કરવો નહીં, આમ સ્થાનિકો પોતાનો રોષ દર્શવી રહ્યા છે, ઘોડાની અનેકો સોસાયટીમાં સ્માર્ટ મીટરના બેનરો લગાડી વિરોધ દર્શાવવામાં આવી રહ્યું છે,અને જૂના મીટરો યથાવત રાખવા માંગ કરવામાં આવી રહી છે, હાલ આ તમામ સોસાયટીમાં ડીજીવીસીએલના કર્મચારીઓ પર પ્રતિબંધ લગાડવમાં આવ્યો છે.
આ પણ વાંચો: વડોદરામાં હાહાકારઃ હીટવેવના લીધે હીટસ્ટ્રોકથી 9નાં મોત
આ પણ વાંચો: સુરતમાં કરંટ લાગવાથી યુવકનું મોત
આ પણ વાંચો: મહિસાગરના બાલાસિનોરમાં ખાણ ખનીજ વિભાગનો સપાટો