આગ દુર્ઘટના/ ગુજરાતની એ હૃદય કંપી ઘટનાઓ, જેમાં હોમાઈ અનેક જિંદગીઓ

હાલ રાજકોટના ગેમઝોનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.જેમાં 24 લોકોની જીદગી હોમાઈ ગઈ છે .જેમાં આગ લાગ્યા બાદ ગેસના બાટલા ફાટ્યા હોવાનું પણ સામે આવ્યુ છે.

Top Stories Gujarat Breaking News

હાલ રાજકોટના ગેમઝોનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.જેમાં 24 લોકોની જીદગી હોમાઈ ગઈ છે .જેમાં આગ લાગ્યા બાદ ગેસના બાટલા ફાટ્યા હોવાનું પણ સામે આવ્યુ છે.ત્યારે માસુમ જિંદગીઓની આ ગેમ છેલ્લી ગેમ બની ગઈ છે.ત્યારે આ પેલા પણ આવી ઘટનાઓ બનેલી છે .

જેમાં વડોદરામાં હરણી તળાવમા બોટ પલટી જતા  12 બાળકો તેમજ  2 ટીચરનાં મોત થયા હતા,જેમાં બે લોકોની ધરપકડ  કરવામાં આવી હતી. આ ઘટના વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના ધોરણ 1થી 6ના બાળકો સાથે બની હતી.

આ પહેલા 2022 માં ૩૦ ઓક્ટોબરના રોજ સાંજે 6 વાગે અને 32 મીનીટે  મોરબીનો ઝૂલતો પુલ તૂટી ગયો હતો. જેમાં પુલ પર રહેલા 141 લોકોથી વધુના મૃત્યુ થયા હતા,તેમજ 100થી વધુ લોકોને ઈજા થઈ હતી.

તમને જણાવી દઈએ  કાલે એટલેકે 24મેનાં રોજ 5 વર્ષ પૂર્ણ થયા છે અને અત્યારે રાજકોટનો આ અગ્નિ કાંડ. સુરત તક્ષશિલા આગ ઘટના 24 મે, 2019ના રોજ સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડ બિલ્ડિંગમાં બની હતી.આ ઘટનામાં કોચિંગ સેન્ટરમા રહેલા બાળકોના મોત થયા હતા  જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં હતા.જેમાં  22 વિદ્યાર્થીઓના મૃત્યુ તેમજ ઘણા ઇજાગ્રસ્ત થયા હતા.ત્યારે પણ આ માસુમ બાળકોનો જીવ ગયો હતો.

આ પહેલા વર્ષ 2109માં કાંકરીયા બાલવાટિકાના એમ્યુઝમેન્ટ પાર્કની ડીસ્કવરી રાઈડ્સ તુટી પડતા બે વ્યક્તિના મોત થયા હતા જેમાં  અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા તેમજ ઇજાગ્રસ્તોમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકો હતા જેમને ઈજા પહોચી હતી.

ત્યારે આવી ઘટનાઓ ક્યાં શુધી બનતી રહેશે એ એક મોટો પ્રશ્ન રહ્યો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં આજે પણ રેડ એલર્ટ, 20 જીલ્લાઓમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ

આ પણ વાંચો: ગુજરાત યુનિ.માં આ વખતે પ્રવેશ વખતે થશે ધાંધિયા, વિદ્યાર્થીઓ હેરાનગતિની તૈયારી રાખે

આ પણ વાંચો: ફાર્મસીમાં રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 20 જુન સુધી લંબાવાઈ