Surat: સુરતમાં RTO વિભાગ દ્વારા સ્કૂલવાનના ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સ્કૂલવાનમાં નક્કી કરાયેલી સંખ્યા કરતાં વધુ વિદ્યાર્થીઓને સ્કૂલવાનમાં ભરી લઈ જતાં ચાલકો સામે આરટીઓ અને ટ્રાફિક પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. નિયમનો ભંગ કરનાર વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે..
આજથી રાજ્યમાં મોટાભાગની શાળાઓ શરૂ થઈ ગઈ છે ત્યારે રાજકોટ અગ્નિકાંડના પગલે બાળકોની સુરક્ષાને લઈ આરટીઓ વિભાગ એક્શનમાં આવી છે. સુરત ટ્રાફિક પોલીસ પણ વાનચાલકો વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. સ્કૂલવાન ચાલકો સામે મેમો ફટકારવામાં આવી રહ્યો છે. કડક નિયમો હોવા છતાં નિયમોના આદેશોની ઐસીતૈસી કરનારાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે.
વાનમાં નિયમ મુજબ ફાયર સેફ્ટીનાં સાધનો, નિયત સંખ્ય મુજબ વિદ્યાર્થીઓ બેસાડવામાં આવ્યા છે કે કેમ તે દિશામાં સુરતમાં આજ સવારથી ડ્રાઈવ શરૂ કરાઈ છે.
આ પણ વાંચો: વાવ બેઠક: કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા કોને ટિકિટ આપશે? ‘આ’ નેતાઓ સૌથી આગળ
આ પણ વાંચો: ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ
આ પણ વાંચો: મહેસાણાનાં વિજાપુરમાં તસ્કરોનો આતંક, લાખો રૂપિયાની લૂંટ
આ પણ વાંચો: જામનગરમાં અંગત અદાવતમાં યુવાનની ઘાતકી હત્યા