રેણુકાસ્વામી હત્યા કેસમાં અભિનેતા દર્શન થૂગુદીપા અને અન્ય ત્રણ આરોપીઓને 4 જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (SPP) પ્રસન્ના કુમારે અભિનેતા દર્શનના ચાહક રેણુકાસ્વામીની જઘન્ય હત્યાની ચાલી રહેલી તપાસ અંગે નવીનતમ અપડેટ આપી છે.ઉલ્લેખનીય છે કે SPPએ શનિવારે આરોપીઓની કસ્ટડીની વિનંતી કરી ન હતી,તેના બદલે ચારેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. કોર્ટે આદેશ આપ્યો છે કે દર્શન, પ્રદોષ, વિનય અને ધનરાજને પરપ્પના અગ્રહારા સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવશે. 4 જુલાઈએ આગામી સુનાવણી સુધી તે 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં રહેશે.
આ પણ વાંચો:મહારાજ ફિલ્મ પર હાઇકોર્ટમાં આજે સુનાવણી ‘કોર્ટ ફિલ્મ જુએ અને નિર્ણય લે’ બંને પક્ષની દલીલ
આ પણ વાંચો:નીતા અંબાણીના દરેક ડ્રેસ અમૂલ્ય હતા, તેને સ્ટાઇલિંગમાં બોલિવૂડને સુંદરીઓને આપી માત