Palanpur News/ પિતાએ દીકરીના લગ્નમાં આપી દેશી ગાયની ભેટ

પાલનપુરના એક પટેલ પરિવારે પોતાને દીકરીના લગ્નમાં દીકરીને પ્રાચીન સનાતન પરંપરા પ્રમાણે ગાય ભેટ આપીને એક ઉદાહરણ પૂરું પાડ્યું. પહેલે મંગળ ગાય ના દાન દેવાય રે..પંક્તિ ને પટેલ પરિવારે સાર્થક કર્યુ.

Gujarat Top Stories Others Breaking News

Palanpur News: પાલનપુરના એક પટેલ પરિવારે પોતાને દીકરીના લગ્નમાં દીકરીને પ્રાચીન સનાતન પરંપરા પ્રમાણે ગાય ભેટ આપીને એક ઉદાહરણ પૂરું પાડ્યું. પહેલે મંગળ ગાય ના દાન દેવાય રે..પંક્તિ ને પટેલ પરિવારે સાર્થક કર્યુ. ભારતમાં પ્રાચીન કાળથી ગાયના દાનની પરંપરા હતી અને શાસ્ત્રોમાં પણ ગાયદાનને મહાદાન નો દરજ્જો આપવામાં આવ્યો છે તેમજ વિવાહ સંસ્કારમાં કન્યાદાનની સાથે સાથે ગૌ દાનનું પણ અનેરૂ મહત્વ શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે આજ પરંપરા ને અનુસરતા પાલનપુરના ગણેશપુરા ના નિવાસી શાંતિભાઈ ગંગારામભાઈ ગામીએ પોતાની દીકરી જિનલ ના લગ્ન પ્રસંગે દીકરીને ગૌ માતાનું દાન કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

લગ્ન પ્રસંગે મહેમાનોની ઉપસ્થિતિમાં જ્યારે લગ્ન મંડપમાં દેશી ગાયનું નાનું વાછરવું શણગાર સાથે પ્રવેશતા ઉપસ્થિત સૌ મહેમાનો હર્ષાલ્લાસ સાથે ગાય માતાની જય બોલાવી ભાવવિભોર થઈ ગયા હતા તેમજ લગ્નની ચોરીમાં ગાયનું પૂજન કરવામાં આવ્યું અને ત્યારબાદ પિતાએ દીકરીને ગાયનું દાન કર્યું હતું.

આ પ્રસંગે જીનલના પિતા શાંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે તથા ગાયનું દૂધ અને ગૌમૂત્ર શ્રેષ્ઠ ઔષધ તરીકે આયુર્વેદમાં ઉલ્લેખ છે માટે મારી દીકરી અને જમાઈ અભય કુમાર ગૌ માતાની સેવા કરે તથા ગૌ માતાના દૂધ અને ઘી નું સેવન કરીને આવનાર ભવિષ્યમાં જે બાળક આવે તે ખૂબ જ બુદ્ધિશાળી અને તેજસ્વી બને તેવા હેતુથી મે ગાયનું દાન કર્યું છે તથા સમાજમાં પણ દેશી ગાય પ્રત્યે જાગૃતિ વધે તે દિશામાં મારો એક નાનો પ્રયાસ છે આ લગ્ન સમારંભ માં ઉપસ્થિત ગૌ સેવક હિતેશભાઈ ગામે જણાવ્યું હતું અભયનો પરિવાર પણ ગૌસેવા સાથે જોડાયેલો છે માટે  આ લગ્ન પ્રસંગે યોજાયેલ ભોજન સમારંભમાં પણ દેશી ગાયના ઘીનો ઉપયોગ કરી ભોજન બનાવી એક સામાજિક જાગૃતિ નું કામ કર્યું હતું


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નાણા ધીરનાર વેપારી લૂંટાયો, પાલનપુર ઈદગાહ રોડ પર બની ઘટના

આ પણ વાંચો: પાલનપુરમાં ગેસ ગીઝરથી ગૂંગળામણમાં 13 વર્ષીય કિશોરીનું મોત, પરિવારમાં માતમ

આ પણ વાંચો: પાલનપુરના ફતેપુર ગામના રસ્તા માટે સ્થાનિકોનો રોષ, 25 વર્ષથી અટકેલું કામ