Ahmedabad News/ અમદાવાદમાં એક જ દિવસ માં બે જ્ગ્યા પર લાગી આગ, ઝૂંપડાં, દુકાનો બળીને ખાખ

આજે વહેલી સવારે લાગેલી આગમાં એક ભંગારની દુકાનને લપેટમાં લેવામાં આવી હતી. વેરહાઉસની નજીક બે ઝૂંપડાઓમાં પણ આગ લાગી હતી. નજીકની દુકાનોને પણ અસર થઈ હતી.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: હાલ દિવાળીની ઉજવણી ચાલી રહી છે. આ દરમિયાન, આજે સવારે અમદાવાદના રેડિયો મિર્ચી રોડ પર દુકાનોમાં ભીષણ આગ લાગી હતી. નવા વર્ષના દિવસે અને ભાઈબીજની સવારે અચાનક લાગેલી આગને કારણે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, કોઈ જાનહાનિ થઈ નથી.

અમદાવાદના (Ahmdabad) રેડિયો મિર્ચી રોડ પર રવિ એપાર્ટમેન્ટની સામે આગ લાગી હતી. આજે વહેલી સવારે લાગેલી આગમાં (Fire) એક ભંગારની દુકાનને લપેટમાં લેવામાં આવી હતી. વેરહાઉસની (warehouse) નજીક બે ઝૂંપડાઓમાં પણ આગ લાગી હતી. નજીકની દુકાનોને પણ અસર થઈ હતી. આગ લાગી ત્યારે ભંગારની દુકાનમાં ચાર લોકો સૂતા હતા, પરંતુ સ્થાનિકોએ તેમને બચાવી લીધા હતા.

સ્થાનિક લોકોનું માનવું છે કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આગની માહિતી મળતાં, ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા અને આગ પર કાબુ મેળવ્યો. આગમાં એક કાર્પેટ ડીલરનો સામાન બળીને ખાખ થઈ ગયો.

આશ્રમ રોડ પર આવેલ દુકાનમાં લાગી આગ

આ સાથે જ આશ્રમ રોડ પર આવેલા એક જાણીતા કપડાના શોરૂમમાં ગઈકાલે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લીધી હતી, પરંતુ ત્યાં સુધીમાં શોરૂમને વ્યાપક નુકસાન થયું હતું.

કાપડના શોરૂમમાં આગ લાગતા અફરા તફરી

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અમદાવાદના વ્યસ્ત વ્યાપારી કેન્દ્ર આશ્રમ રોડ પર સ્થિત કપડાના શોરૂમમાં રાત્રે લગભગ 11:30 વાગ્યે આગ લાગી હતી. આગની માહિતી મળતાં, નજીકના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને શોરૂમની અંદર રહેલા કર્મચારીઓ તાત્કાલિક પોતાનો જીવ બચાવવા માટે બહાર નીકળી ગયા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ શોરૂમનો મોટો ભાગ રાખ થઈ ગયો હતો.આગની માહિતી મળતાં, અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ડીસા ફટાકડાના ગોડાઉનમાં આગ મામલે ઋષિકેશ પટેલે દુ:ખ વ્યક્ત કર્યું, વિધાનસભા અઘ્યક્ષ શંકર ચૌધરી ડીસા સિવિલ પહોંચ્યા

આ પણ વાંચો:ડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ, મૃત્યુ આંક 21 ઉપર પહોંચ્યો

આ પણ વાંચો:ડીસામાં ફટાકડાની ફેક્ટરી અને ગોદામમાં લાગી વિકરાળ આગ, 17 શ્રમિકોના મોત