Ahmedabad News: અમદાવાદ ના નારોલ-નરોડા હાઇવે પર વિરાટનગર બ્રિજ પાસે વ્રજેશ્વરી કોમ્પ્લેક્સની બે દુકાનોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. હેર માર્ગ પર લાગેલી ભીષણ આગથી ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ ઓઢવ-નિકોલ ફાયર સ્ટેશનના (Fire station) વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને બુઝાવી હતી. એક તરફ હાઇવે પર વાહનો આગળ વધી રહ્યા હતા, તો બીજી તરફ દુકાન માંથી ધુમાડો નીકળી રહ્યો હતો. દુકાન ની નજીક અન્ય દુકાનો પણ છે જેમાં આગ લાગી હતી. જેના કારણે તે દુકાન માં પણ આગ ફાટી નીકળવાની શક્યતા છે. આગ જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. શહેરના પૂર્વ ભાગમાં બાપુનગર એપ્રોચ રોડ પાસે આજે સવારે અચાનક આગ (Fire) લાગી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. પ્રારંભિક માહિતી મુજબ ટ્રાફિકથી ભરેલા મુખ્ય માર્ગ પરની દુકાનોમાં આગ લાગી હતી. થોડીવારમાં જ આગ ઝડપથી વધી ગઈ, જેનાથી આસપાસના વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો હતો.
અમદાવાદ માં આગ
અહેવાલો અનુસાર, આજે સવારે આ આગ લાગી હતી.અમદાવાદમાં બાપુનગર એપ્રોચ રોડ નજીક આજે સવારે અચાનક જ્વાળાઓ જોવા મળી હતી. થોડીવારમાં જ આખો વિસ્તાર ધુમાડામાં લપેટાઈ ગયો હતો. વાહનચાલકો અને રાહદારીઓએ દૂરથી ધુમાડાના ગોટેગોટા જોયા હતા. ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગના વાહનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
હાલની માહિતી મુજબ, બાપુનગર એપ્રોચ રોડ પર આવેલી બે દુકાનોને નોંધપાત્ર નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે. જ્યારે કોઈ જાનહાનિ થઈ નથી, આગની માહિતી મળતા જ ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પરિણામે, આગ લગભગ કાબુમાં આવી ગઈ છે, પરંતુ કૂલિંગ કામગીરી હજુ પણ ચાલુ છે.
આ પણ વાંચો:સુરતમાં સચિન GIDC નજીક મકાનમાં લાગી આગ, 4 લોકો થયા ઘાયલો
આ પણ વાંચો:મહુવા કુબેર મંદિર નજીક પાર્ક કરેલી કારમાં આગ
આ પણ વાંચો:મોડાસાથી અમદાવાદમાં સારવાર અર્થે લાવતી એમ્બ્યુલન્સમાં લાગી આગ, નવજાત શિશુ સહિત ચાર લોકોના મોત
