અમરેલીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. ધારીના ચલાલા શહેરમાં રહેણાંક મકાનના બેડરૂમમા આગની ઘટનામાં ત્રણના મોત નિપજ્યાં છે. માતા સાથે બે દીકરીઓનું બેડરૂમમાં આગ લાગવાના કારણે મોત થતા પંથકમાં શોક સાથે ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસને જાણ થતાં તેઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને ફાયર ફાઇટર પહોંચે તે પહેલાં પોલીસે અને સ્થાનિકોએ આગ પર કાબુ મેળવ્યો છે.
આ પણ વાંચો : ગુજરાતમાં ધોરણ 1 થી 5ની શાળાઓ 22 નવેમ્બરથી થશે શરૂ : જીતુ વાઘાણી
આ મામલે મળતી માહિતી અનુસાર, ચલાલા શહેરમાં આવેલ હરિધામ સોસાયટીમાં આગની ઘટના સામે આવી છે. આ આગની ઘટનામાં એક મહિલા અને બે દીકરીઓના મોત નિપજ્યાં છે. મામલતદાર પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચીયો છે. સમગ્ર ઘટનાની પોલીસ દ્વારા તપાસ શરૂ ત્રણેય મૃતદેહને ચલાલા સિવિલ પીએમ અર્થે ખસેયા છે.
આ પણ વાંચો :સુરતમાં સગીરાને લગ્નની લાલચ આપી વારંવાર આચર્યું દુષ્કર્મ, આ રીતે ફૂટ્યો ભાંડો
મૃતકોના નામ
- સોનલબેન ભરતભાઇ દેવમુરારી ઉ.40
- હિતાલિબેન ભરતભાઇ ઉ.14
- ખુશીબેન ભરતભાઇ ઉ.3 માસ
આ પણ વાંચો :કીર્તિદાન ગઢવીની વધુ એક કીર્તિ, વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગે.ના બન્યા બ્રાન્ડ એમ્બેસેડેર
આ પણ વાંચો : ગીફ્ટ સિટી ખાતે આગામી સમયમાં સ્ટોક અને બુલિયન એક્સચેન્જ કાર્યરત થશે : નિર્મલા સિતારામણ
આ પણ વાંચો : પાટડી તાલુકાના વણોદ અને ઝીંઝુવાડા જિલ્લા પંચાયત વિસ્તારમાં,રૂ .૪૫.૫ લાખના વિકાસ કાર્યોનું થયું ખાતમુહૂર્ત–