મહીસાગરઃ રૂપિયો કોઈનો સગો નથી તે કહેવત બાલાસિનોરના સંતરામપુરના મેનેજર વિશાલ પાટીલની હત્યામાં સાચી પડી છે. તેની હત્યા કરી 1.17 કરોડ રૂપિયા લૂંટનારા તેના જ મિત્ર હર્ષિલ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આરોપી હર્ષિલ પટેલે મૃતક વિશાલ પાટીલ સાથે બેન્કના કામે પહેલા મિત્રતા કરી હતી. મિત્રતાના વેશમાં જ હર્ષિલ પટેલે વિશાલની હત્યા કરી ભાગી ગયો હતો.
પોલીસે ગણતરીના કલાકોમાં વિશાલ પાટીલની હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસને પૂરેપૂરી શંકા છે કે આ હત્યા કરવી એકલા હાથે શક્ય ન હતી. તેથી આ લૂંટ અને હત્યાના કેસમાં અન્ય લોકોની સંડોવણી પણ બહાર આવી શકે છે.
આરોપી હર્ષિલ પટેલે મેનેજરના માથામાં ગોળી મારીને હત્યા કરી નાખી હતી. હત્યા બાદ તેની કાર સળગાવીને તેનો મૃતદેહ 20 કિલોમીટર દૂર ફેંકી દીધો હતો. લુણાવાડ સંતરામપુર હાઇવે રોડ પર ગોદર ગામ પાસે કાર બળેલી હાલતમાં મળી હતી હતી. પહેલા તો મોડી રાત્રે કારમાં આગ લાગી હોવાનું અનુમાન હતું. આ કાર બાલાસોનરની આઇસીઆઇસીઆઇ બેન્કમાં મેનેજર તરીકે ફરજ બજાવતા વિશાલ પાટીલની હતી. બળીને ખાખ થયેલી કારમાંથી લોખંડની ખાલી પેટી પણ દેખાઈ હતી.
ફક્ત ગાડી જ નહી તેની સાથે મેનેજર વિશાલ પાટીલની લાશ પણ મળી આવી હતી. લાશ જોતા જ સ્પષ્ટ કહી શકાતું હતું કે તેની હત્યા થઈ છે. આ કેસમાં 1.17 કરોડ રૂપિયાની લૂંટ થઈ હોવાની માહિતી મળી હતી. સમગ્ર બનાવ અંગે પોલીસ તપાસ કરી રહી છે. સ્થાનિક પોલીસે બોડી કબ્જે કરી વધુ તપાસ માટે કેટલીક ખૂટતી કડીઓ જોડવા સઘન તપાસ શરૂ કરી છે.
બેન્ક મેનેજરની હત્યાની જાણ બધાને થતાં જ સનસનાટી મચી ગઈ હતી. સંતરામપુરથી કડાણા તરફ જવાના રસ્તા પર વિશાલ પાટીલનો મૃતદેહ મળી આવ્યો હતો. મોડી રાત્રે જ જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, સંતરામપુલ પોલીસ, એલસીબી, એસઓજી સહિત પોલીસ અધિકારીઓની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તરત તપાસ હાથ ધરી હતી. 24 કલાકની અંદર જ ગુનેગારને પકડી પાડ્યો હતો. સિવાય કેસના બીજા પાસાઓ પર પણ તપાસ થઈ રહી છે.
આ પણ વાંચોઃ રાજકોટ/ જેતપુરમાં રોડ પર સિક્કાનો વરસાદ, વીણવા લોકોની પડાપડી
આ પણ વાંચોઃ West Bengal/ AAP બાદ હવે TMC મંત્રી પણ EDના રડાર પર
આ પણ વાંચોઃ Surat-Youth Death/ સુરતમાં ગરબા રમતા 28 વર્ષીય યુવકનું મોત