અમદાવાદ,
અમદાવાદના અડાલજ ખાતે આવતીકાલે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાવની છે. દાંડીકૂચના દિવસે 1961 બાદ ગુજરાતમાં પ્રથમવાર આ બેઠક યોજાશે. આ બેઠક શાહીબાગ સરદાર પટેલ સ્મારક ભવન ખાતે મળશે.
જેમાં કોંગ્રેસના 20 જેટલા રાષ્ટ્રીય નેતાઓ હાજર રહેવાનના છે. સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પર ઉપસ્થિત રહેવાના છે.
આ ઉપરાંત કુમારી શૈલજા, ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, કે સી વેણુગોપાલ બેઠકમાં હાજર રહેવાના છે. મહત્વનું છે કે કોંગી નેતાની જાહેરસભા અને રોડ શો ની તેયારીઓને લઇને આખરી ઓપ આપી દેવામાં આવી છે.