અમદાવાદ/ જનેતા જ બની દુશ્મન, ત્રીજા માળેથી માસૂમને ફેંકી નીચે

અમદાવાદમાં સગી જનેતાએ જ પોતાની દીકરીને નિર્મમ હત્યા કરી નાંખી. નિર્દય માતાએ પોતાની માસૂમ દિકરીને મારી નાંખતાં ભારે ચકચાર મચી જવા પામી છે.  

Ahmedabad Gujarat
નિર્મમ હત્યા

કહેવાય છે કે માંની મમતા આગળ ભગવાન પણ ઝૂકી જતા હોય છે. પોતાના સંતાનને સહેજ પણ તકલીફ થાય તો સૌથી પહેલા માતાને ચિંતા થતી હોય છે. પરંતુ અમદાવાદમાં સગી જનેતાએ જ પોતાની દીકરીને નિર્મમ હત્યા કરી નાંખી. નિર્દય માતાએ પોતાની માસૂમ દિકરીને મારી નાંખતાં ભારે ચકચાર મચી જવા પામી છે.

મૃતક બાળકીને જન્મ સમયથી જ બીમારી હતી. વડોદરા અને નડિયાદમાં સારવાર કરાવ્યા પછી માતા પોતાની બે મહિલાની બાળકીને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતું અચાનક બાળકી ત્રીજા માળેથી નીચે પટકાઈ હતી. ત્યારે બાળકીની હત્યા વિશે માતા પર શંકા ગઈ હતી. તેથી હોસ્પિટલના સીસીટીવી ચેક કરવામા આવ્યા હતા. પહેલા માતાએ દીકરીને નીચે ફેંકી ગુમ થયું હોવાનું નાટક રચ્યુ હતું. પરંતું હોસ્પિટલના CCTVમાં હત્યારી માતા કેદ થતાં ભાંડો ફૂટ્યો હતો. ત્યારે બાળકીના પિતાએ પત્ની સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે. શાહીબાગ પોલીસે ગુનો નોંધી હત્યારી જનેતાની ધરપકડ કરી છે.

આણંદ વિસ્તારમાં રહેતા યુવકે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, તેની 2 માસ 25 દિવસની દીકરી જન્મની સાથે જ બીમાર રહેતી હતી. પ્રથમ તેને વડોદરા ખાતેની એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જ્યાં 24 દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવી અને ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. બાળકીના જન્મ સમયે તે ખરાબ પાણી પી ગઇ હોવાથી તેની તબિયત ખરાબ થઇ હોવાનું ફરજ પરના ડોક્ટરએ જણાવ્યું હતું. જો કે બાળકીની તબિયતમાં સુધારો આવતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

અમદાવાદમાં 1200 બેડની હોસ્પિટલમાં નવજાત બાળકીને દાખલ કરાઈ હતી. આસિફમિયાએ ઉઠીને જોયું તો તેની દીકરી ગાયબ હતી. સીસીટીવી ફૂટેજ ચેક કરાવ્યા તો તેની પત્ની જ બાળકીને લઈ જઈને ત્રીજા માળેથી ફેંકી દીધી હોવાનું જાણવા મળ્યું. પત્નીની પૂછપરછ કરતા દીકરી જન્મ બાદથી જ સતત બીમાર રહેતી હોવાના કારણે તે કંટાળી ગઈ હતી, આથી ત્રીજા માળેથી તેને ફેંકી દીધાનું જણાવ્યું હતું. સમગ્ર ઘટના મામલે પતિએ પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર મામલે પોલીસએ સીસીટીવી કેમેરાની મદદથી બાળકી શોધવા માટેની તજવીજ શરૂ કરી હતી. પરંતુ તેમાં આ બાળકીને તેની માતા જ વહેલી સવારે લગભગ સવા ચારેક વાગ્યાની આસપાસ વોર્ડની બહાર લઇ આવીને ગેલેરીમાં પિલ્લર પાસે ઉભી રહેલ જોવા મળી હતી. જોકે થોડી વાર બાદ તે ખાલી હાથે વોર્ડમાં પરત જતી જોવા મળી હતી. જેથી પોલીસે બાળકીની માતાની પૂછપરછ શરૂ કરી હતી. ત્યારે જાણવા મળ્યું હતુ કે બાળકી જન્મથી જ બીમાર રહેતી હોવાથી તેણે જાતે જ બાળકીને ગેલેરીમાંથી નીચે ફેંકી દીધેલ છે. પોલીસે ઘટનાસ્થળે જઇ તપાસ કરતાં બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. હાલ પોલીસએ હત્યાનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:દિલ્હી હિટ એન્ડ રન કેસ મામલે ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ

આ પણ વાંચો:નોટબંધી ચુકાદાની આ 10 મોટી વાતો,જાણો

આ પણ વાંચો:વર્લ્ડ કપ માટે ભારતના 20 ખેલાડીઓની યાદી તૈયાર! સમીક્ષા બેઠકમાં શોર્ટ લિસ્ટ કરાયા