@ જય સુરતી,સાબરકાંઠા
ઈડરના રામદ્વારા મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ બેઠક યોજાઇ
આગામી અષાઢી બીજના રોજ નિકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાની પૂર્વ તૈયારીઓ ઈડરના રામદ્વારા મંદિર ખાતે ઈડર નગર ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે રામદ્વારા મંદિર ખાતે ઈડર પોલીસ અને નગર ઉત્સવ સમિતિ દ્વારા એક બેઠક યોજાઇ હતી.
જેમાં હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીને ધ્યાને રાખી સરકારની ગાઈડ લાઈન મુજબ ભગવાન જનગન્નાથજીની રથયાત્રા નીકળશે બેઠકમાં ઈડર રામદ્વારા મંદીરના મહંત,ઈડર ડીવાયએસપી ડી.એમ ચૌહાણ, ઈડર પીઆઈ જે. એ.રાઠવા,ઈડર પીએસ આઇ ચૌધરી, પોલીસ સ્ટાફ, ઈડર નગર ઉત્સવ સમિતિના પ્રમુખ દિનેશભાઇ પરમાર, ઉપ પ્રમુખ વિષ્ણુભાઈ સગર, મંત્રી પ્રદીપભાઈ ખરાદી, નગરપાલિકા પ્રમુખ જયસિંહભાઈ તંવર અને કૃણાલ કંસારા હાજર રહ્યાં હતા.