બનાસકાંઠા,
બનાસકાંઠામાં એસટી વિભાગની ઘોર બેદરાકારી સામે આવી છે. કિલોમીટર પૂરા થયેલી બસને દોડાવતા મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઇ છે. આ બસ ચાલી રહી હતી તે દરમિયાન સ્પ્રિગ નિકળી ગઇ હતી.
ચાલુ બસમાં સ્પ્રિંગ નિકળી જતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ ઘટનામાં મુસાફરો, ડ્રાઇવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો.
વાવ થરાદ પર આ એસટી બસમાંથી સ્પ્રિંગ નિકળી જતાં એસ ટી બસ બાવળની ઝાડીમાં ઉત્તરી ગઇ હતી. મહત્વની વાત તો એ છે કે બે માસ પહેલા જ આ બસમાં ટેક્નિકલ ખામી આવી ગઇ હતી. તેમ છતાં પણ થરાદનું એસટી તંત્ર પૈસા કમાવવાની લાલચે મુસાફરોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે.