- અમદાવાદઃ UN મહેતામાં દર્દીએ કર્યો આપઘાત
- હોસ્પિ.ના સાતમા માળેથી કૂદીને કર્યો આપઘાત
- દિનેશ ચૌહાણ નામના દર્દીએ કર્યો આપઘાત
- દર્દીએ બીમારીથી કંટાળીને કર્યો આપઘાત
- ગત 17 એપ્રિલથી હોસ્પિટલમાં હતા દાખલ
- આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ
- પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
અમદાવાદમાં આપઘાતના બનાવો દિવસે દિવસે વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે ફરી એક આપઘાતની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં શહેરના અસારવા પાસે આવેલ UN મહેતા હોસ્પિટલમાં દર્દીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. હોસ્પિ.ના સાતમા માળેથી કૂદીને દિનેશ ચૌહાણ નામના દર્દીએ જીવન ટૂંકાવતા ચકચાર મચી ગઈ છે. ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત આ વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે લઈ જવામાં આવે ત્યારે તેનું મૃત્યુ નીપજ્યું હતું. જે બાદ હોસ્પિટલમાં ભાગદોડ મચી ગઇ હતી.
મળતી માહિતી અનુસાર, દિનેશ ચૌહાણ બીમારીથી કંટાળીને આપઘાત કર્યો હોય એવું લાગી રહ્યું છે. દર્દીની ઓળખ કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, દિનેશભાઈને ગત 17 એપ્રિલથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:હવે થાક બહુ થયો, ચાલો નવું કંઈ કરીએ: કૈલાશ ગઢવી
આ પણ વાંચો: દાંતાના ડુંગરોમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા તંત્ર ખડાપગે : વન્યજીવોમાં ડરનો માહોલ