Kutch/ કસ્ટમ્સ મુન્દ્રાનું સફળ ઓપરેશન, અરેકા નટ્સનો જંગી જથ્થો જપ્ત કર્યો

બાતમીના આધારે, SIIB કસ્ટમ મુન્દ્રાના અધિકારીઓ દ્વારા ‘દમર બટુ’ તરીકે જાહેર કરાયેલ આયાતી માલસામાનની તપાસ કરવામાં આવી હતી. પરીક્ષણ પર 27.81 MTs ‘Areca Nuts’ જેની ટેરિફ કિંમત રૂપિયા 1.5 કરોડ (અંદાજે) છે, તે આ કન્ટેનરમાં ખોટી રીતે જાહેર કરાયેલા મળી આવ્યા હતા. જે કસ્ટમ્સ મુન્દ્રા દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા. વધુ વિગતો બહાર લાવવા અને દાણચોરીની કામગીરીમાં……

Top Stories Gujarat

Gujarat News: સ્પેશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચ (SIIB) મુન્દ્રા કસ્ટમ્સના અધિકારીઓ દ્વારા મુંબઈના એક અનૈતિક આયાતકારની ચોક્કસ બાતમી એકત્ર કરવામાં આવી હતી, જે માલના વર્ણનમાં ખોટી જાહેરાતનો આશરો લઈને એરેકા નટ્સની ગેરકાયદેસર દાણચોરીમાં સંડોવાયેલ હતો. ઇન્ટેલિજન્સે વધુમાં સંકેત આપ્યો હતો કે, આ માલ ઇન્ડોનેશિયાથી કન્ટેનરમાં મુન્દ્રા પોર્ટ પર આવ્યો હતો.

બાતમીના આધારે, SIIB કસ્ટમ મુન્દ્રાના અધિકારીઓ દ્વારા ‘દમર બટુ’ તરીકે જાહેર કરાયેલ આયાતી માલસામાનની તપાસ કરવામાં આવી હતી. પરીક્ષણ પર 27.81 MTs ‘Areca Nuts’ જેની ટેરિફ કિંમત રૂપિયા 1.5 કરોડ (અંદાજે) છે, તે આ કન્ટેનરમાં ખોટી રીતે જાહેર કરાયેલા મળી આવ્યા હતા. જે કસ્ટમ્સ મુન્દ્રા દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા. વધુ વિગતો બહાર લાવવા અને દાણચોરીની કામગીરીમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓને ઓળખવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

એરેકા નટની આયાત 110% જેટલી ઊંચા ટેરિફ મૂલ્ય અને ડ્યુટી માળખું આકર્ષે છે. તેનાથી બચવા માટે અનૈતિક આયાતકારોએ એરેકા નટ્સને ખોટી રીતે જાહેર કરીને આયાત કરવાની મોડસ અપનાવી છે. કસ્ટમ્સ મુન્દ્રાએ તાજેતરના સમયમાં ‘એરેકા નટ્સ’ની ગેરકાયદેસર રીતે દાણચોરી કરતી અનેક સિન્ડિકેટની સાંઠગાંઠનો પર્દાફાશ કર્યો છે. આ નાણાકીય વર્ષ દરમિયાન, ગેરકાયદેસર આયાતને રોકવાના સતત પ્રયાસોને પરિણામે 172.39 MTs ની ટેરિફ કિંમત રૂ.10.38 કરોડની હદ સુધી એરેકા નટ કન્સાઇનમેન્ટ જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત, ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન, લગભગ મુન્દ્રા ખાતે કસ્ટમ્સ દ્વારા શોધાયેલ કોમર્શિયલ ફ્રોડમાંથી રૂપિયા 15.00 કરોડની રિકવરી કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ખેરવા ગામ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્ર મુંજપરાના હસ્તે એમ્બ્યુલન્સ લોકાર્પણ કાર્યક્રમ

આ પણ વાંચો:નેહા કક્કરે તેના પતિ રોહનપ્રીત વિશે કર્યો ખુલાસો, જેટલું ધ્યાન આપવાનું હતું એટલું આપી દીધુ…

આ પણ વાંચો:ભારતમાં સૌથી વધુ ગરીબો રૂપિયા 1373 ખર્ચે છે, જાણો NSSO સર્વેક્ષણ શું કહે છે…