Bollywood/ જાણો, કેમ બોલીવુડ અભિનેતા આમિર ખાન આવ્યો પોરબંદર

અભિનેતા આમિર ખાન જે આખો સમય કામમાં વ્યસ્ત રહે છે, તે તેના પુરા પરિવાર સાથે વેકેશન મનાવવા પોરબંદર આવ્યા છે. આજે સવારે આમિર ખાનને મુંબઈ એરપોર્ટની બહાર જોવામાં આવ્યો હતો.

Entertainment
a 388 જાણો, કેમ બોલીવુડ અભિનેતા આમિર ખાન આવ્યો પોરબંદર
  • બોલીવુડ અભિનેતા આમિર ખાન પોરબંદરમાં
  • પરિવાર સાથે પોરબંદર એરપોર્ટ પર પહોંચ્યા
  • પરિવાર સાથે સાસણ ગીર જવા રવાના થયા
  • પ્રાઇવેટ વાહન મારફત સાસણ જવા રવાના
  • પોતાની એનિવર્સરી મનાવા માટે સાસણ ગયાની શક્યતા

બોલીવુડ અભિનેતા આમિરખાન પોરબંદરના પ્રવાસે છે. તે શનિવારે પરિવાર સાથે પોરબંદર એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ પરિવાર સાથે ખાનગી વાહન મારફતે સાસણ ગીર જવા રવાના થયા હતા. મહત્વનું છે કે, આમિર ખાન પોતાની એનિવર્સરી મનાવવા માટે સાસણગીર ગયા હોવાનું મનાઈ રહ્યું છે.

અભિનેતા આમિર ખાન જે આખો સમય કામમાં વ્યસ્ત રહે છે, તે તેના પુરા પરિવાર સાથે વેકેશન મનાવવા પોરબંદર આવ્યા છે. આજે સવારે આમિર ખાનને મુંબઈ એરપોર્ટની બહાર જોવામાં આવ્યો હતો. અહીં આમિર ખાન તેની પત્ની કિરણ રાવ સાથે પોઝ આપતો જોવા મળ્યો હતો. તસ્વીરમાં, આમિર ખાન હાથમાં ઓશીકું પકડી રહ્યો છે જે તેની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા’ નો મહત્વપૂર્ણ ભાગ છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન આમિર ખાન ઘણી વખત તેના ઓશીકું સાથે જોવા મળ્યો છે. હવે આ ઓશીકું પણ આમિર ખાન સાથે વેકેશન પર જઇ રહ્યું છે.

शादी की 15वीं सालगिरह मनाएंगे आमिर खान (Aamir Khan)

એરપોર્ટ પર આમિર ખાનનો દેખાવ ઘણો બદલાયેલો જોવા મળ્યો છે. આમિર ખાન અને તેની પત્ની કિરણ રાવે કોરોનાથી પોતાને બચાવવા માટે માસ્ક પહેરીને જોવા મળ્યા હતા.

ऐसा दिखा आमिर खान (Aamir Khan) का अंदाज

આમિર ખાન અને કિરણ રાવ સાથે તેમના ત્રણ બાળકો આઝાદ, ઇમરાન ખાન અને ઇરા ખાન પણ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. એરપોર્ટ પર આમિર ખાનનો પૂરો પરિવાર જોવા મળ્યો.

આપને જણાવી દઈએ કે, આમિર ખાનની એરપોર્ટની તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. આમિર ખાન અને કિરણ રાવને સાથે જોઇને ચાહકો ઘણા ખુશ છે. લોકડાઉન થયા પછી આ પહેલી વાર છે જ્યારે આમિર ખાન પરિવાર સાથે ઘરની બહાર નીકળ્યો છે.

देसी अंदाज में दिखी ईरा खान (Ira Khan)

આમિર ખાન અને તેની પત્ની કિરણ રાવ 28 ડિસેમ્બરે તેમના લગ્નની એનિવર્સરીની ઉજવણી કરવા પોરબંદર આવ્યા છે. આ દિવસને વિશેષ બનાવવા આમિર ખાન પોતાના આખા પરિવાર સાથે વેકેશન મનાવવા પોરબંદર આવ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…