અરવલ્લીમાં ધનસુરાનાં પરિવારને અકસ્માત નડ્યો હતો. દહેગામ પાસે માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે એકને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ ડમ્પર(ટ્રક) અને કારની ટક્કર થઇ હોવાનું સામે આવી રહ્યું છે. ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ફરી એકવાર ગુજરાતના રોડ પર રક્ત રેડાયુ હોવની ઘટના બની છે. ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી રોડ અકસ્માતો અને તેમા નિપજતા મોતનો આંકડો ભારે ઉંચો જોવામાં આવી રહ્યો છે. આટલા આટલા અકસ્માતો રોજબરોજ બનવાની ઘટના નોંધાઇ રહી છે, છતા લોકો દ્વારા અકસ્માતને લઇને કોઇ ગંભીરતા આવી ન રહી હોય તેવા અકસ્માતો પણ જોવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.