ટીવીનો સુપરહિટ શો ‘યે રિશ્તા ક્યા કહલાતા’માં’ ગુલાબો ‘ની ભૂમિકા ભજવનાર દિવ્યા ભટનાગરે દુનિયાને અલવિદા કહી દીધી છે. સોમવારે સવારે ટીવી ઉદ્યોગ પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. આ માહિતી અભિનેત્રી દેવોલિના ભટ્ટાચાર્જીએ તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. દેવોલિનાએ દિવ્ય ભટનાગરના મોત અંગે માહિતી આપતી ભાવનાત્મક પોસ્ટ લખી છે. તેણે લખ્યું, “જ્યારે કોઈ પણ કોઈની સાથે ન હતું, ત્યારે ફક્ત તું જ હતી. દિવ્યા તું તો મારી પોતાની હતી, જેને હું ઠપકો આપી શકતી હતી. હું ગુસ્સે થઈ શકતી હતી, હું મારું દિલની વાત કહી શકતી હતી. હું જાણું છું કે જીવન તમારા માટે છે તે ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું. પીડા અસહ્ય બની ગઈ હતી. “
દેવોલિના ભટ્ટાચાર્જીએ આગળ લખ્યું કે, “પણ હું જાણું છું કે હવે તમે સારી જગ્યાએ હશો. અને બધા દુ:ખ, વેદના, ઉદાસી, દગો અને જુઠ્ઠાણાઓથી છૂટકારો મેળવશો. દિવ્યા હું તમને ખુબ જ યાદ કરીશ. તમે પણ જાણતા હતા કે હું તમને કેટલો પ્રેમ કરું છું. મને તમારી કેટલું કાળજી લવ છું તમે મહાન હતા પણ તમે એક બાળક પણ હતા ભગવાન તમારી આત્માને શાંતિ આપે. તમે જ્યાં પણ હોવ, ખુશ રહો.દિવ્યા ભટનાગર તમે બહુ જલ્દી જતી રહી, મારી મિત્ર. ઓમ શાંતિ. “
તે જ સમયે, મીડિયા અહેવાલો અનુસાર, અભિનેત્રી દિવ્યા ભટનાગર થોડા સમય પહેલા કોરોનાવાયરસનો શિકાર બની હતી. જે બાદ તેને ગોરેગાંવની એસઆરવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેને ન્યુમોનિયા પણ થયો હતો, જેના કારણે તેની હાલત ગંભીર બની હતી. આ કારણે તેને વેન્ટિલેટર પર રાખવામાં અવી હતી. જીવન અને મૃત્યુ વચ્ચે ઘણા દિવસોથી વેન્ટિલેટર પર લડતા દિવ્યાએ હવે આ દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધી છે.
હિના ખાને ટોપલેસ ફોટા કર્યા શેર, સોશિયલ મીડિયા પર થયા વાયરલ
ફરદીન ખાન બોલિવૂડ કરી રહ્યો છે કમબેક, મુકેશ છાબરાએ કર્યું કમ્ફર્મ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…