પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનર્જી મોટી જીત તરફ આગળ વધી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) 205 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. ભાજપ ખૂબ પાછળ દેખાઈ રહ્યુ છે. માત્ર 84 બેઠકો પર આગળ દેખાઇ રહ્યુ છે. બંગાળમાં ટીએમસીનાં કાર્યકરો ઉજવણી કરી રહ્યા છે. દરમિયાન મમતા બેનર્જીને અભિનંદન પાઠવવાનાં પણ શરૂ થઇ ગયા છે. ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ બાદ દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ મમતા બેનર્જીને અલગ રીતે અભિનંદન પાઠવ્યા છે.
દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ એક જમીન હલાવી દેતી વિજય છે. આ માટે અભિનંદન. શું સ્પર્ધા કરી? પશ્ચિમ બંગાળનાં લોકોને અભિનંદન.
આપને જણાવી દઈએ કે, મમતા બેનર્જી ત્રીજી વખત સીએમ બનવાની તૈયારીમાં છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકાર બનવાની વાત લગભગ નિશ્ચિત છે. ભાજપે સંપૂર્ણ શક્તિથી બંગાળની ચૂંટણી લડી હતી. ભાજપે 200 બેઠકો ઓળંગી લેવાનો દાવો કર્યો હતો. તેમ છતા, દાવા મુજબ, સફળતા પ્રાપ્ત થઈ નથી. આ દરમિયાન સમાજવાદી પાર્ટીનાં સુપ્રીમો અખિલેશ યાદવે પણ તૃણમૂલ કોંગ્રેસનાં ઉદયને ધ્યાનમાં રાખીને મમતા બેનર્જીને અભિનંદન પાઠવ્યા છે. રવિવારનાં ટ્વીટ પર યુપીનાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ભાજપ પર કટાક્ષ કરતા મમતા બેનર્જીને અભિનંદન પાઠવ્યા છે.
અખિલેશ યાદવે ભારતીય જનતા પાર્ટી પર મોટો પ્રહાર કરતાં કહ્યું છે કે, ભાજપનાં એક મહિલા ઉપર અપમાનજનક કટાક્ષ દીદી ઓ દીદીનો જનતાએ જવાબ આપ્યો છે. ઉપરાંત તેમણે હેશટેગ દીદી જિયો દીદી કર્યુ હતુ. આ સિવાય નેશનલ કોંગ્રેસ પાર્ટીનાં વડા શરદ પવારે પણ મમતા બેનર્જીને અભિનંદન પાઠવ્યા છે. એનસીપીનાં વડા શરદ પવારે ટ્વીટ કરીને મમતા બેનર્જીને વિજય માટે અભિનંદન પાઠવ્યા છે. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું કે, તમારી મહાન જીત બદલ અભિનંદન. ચાલો આપણે લોકોનાં કલ્યાણ અને મહારોગનો સામુહિક ધોરણે પહોંચી વળવાનું પોતાનુ કામ ચાલુ રાખીએ.’