Not Set/ ગોંડલના બચત એજન્ટના કોરોનાથી નિધન બાદ કરોડો રૂપિયાની છેતરપિંડી આવી સામે,મોટા ભાગના શ્રમિકો છેતરાયા 

ગોંડલ શહેરના ગુંદાળા રોડ પર આવેલી ગોંડલ મર્કન્ટાઇલ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડ માં છેલ્લા 15 વર્ષથી ડેઇલી બચતનું કામ કરતા બચત એજન્ટનું કોરોનાના કારણે નિધન થતા રોજિંદા

Gujarat Trending
gondal police 1 1 ગોંડલના બચત એજન્ટના કોરોનાથી નિધન બાદ કરોડો રૂપિયાની છેતરપિંડી આવી સામે,મોટા ભાગના શ્રમિકો છેતરાયા 

વિશ્વાસ ભોજાણી, ગોંડલ@ મંતવ્ય ન્યૂઝ

ગોંડલ શહેરના ગુંદાળા રોડ પર આવેલી ગોંડલ મર્કન્ટાઇલ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડ માં છેલ્લા 15 વર્ષથી ડેઇલી બચતનું કામ કરતા બચત એજન્ટનું કોરોનાના કારણે નિધન થતા રોજિંદા બચત કરતા શ્રમિકો પોતાની મૂળી અંગે બેંકે તપાસ કરતા મોટા ભાગના શ્રમિકો છેતરાયા હોવાનો ગોટાળો બહાર આવતા લોકોનું ટોળું પોલીસ મથકે પહોંચ્યું હતું.

gondal police 2 1 ગોંડલના બચત એજન્ટના કોરોનાથી નિધન બાદ કરોડો રૂપિયાની છેતરપિંડી આવી સામે,મોટા ભાગના શ્રમિકો છેતરાયા 

 

શહેરના કૃષ્ણનગર બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં રહેતા કેતનભાઇ ઘુસાભાઇ ભાલાળા છેલ્લા 15 વર્ષથી બચત એજન્ટ નું કામ કરી રહ્યા હતા તેનું કોરોનાના કારણે નિધન થયું હતું બાદમાં સમીમબેન અમીનભાઈ મકરાણી, વર્ષા બેન પપ્પુભાઈ ઠાકોર , ખોળાભાઈ દમજીભાઈ ડાભી, તાજ મહમદભાઈ મકરાણી, જાવેદભાઈ યુશુફભાઈ ચૌહાણ, ઈમ્તિયાઝ યુશુફભાઈ ચૌહાણ, તેજલબેન મિતેશભાઇ દેવીપૂજક, હનીફભાઈ નૂરમામદ ભાઈ પતાણી, હીનાબેન જગદીશભાઈ ચુડાસમા, રાજેશભાઇ વાઘેલા, વિનોદભાઈ વાલજીભાઈ ટુવરિયા અને વાઘેલા વિશાલસિંહ રાજેન્દ્રસિંહ સહિતનાઓ પોતાની ડેઇલી બચત અને ફિક્સ ડિપોઝીટની રકમ અંગે બેંકે પહોંચ્યા હતા.

પરંતુ સંતોષકારક જવાબ ન મળતા અને છેતરપીંડી નો ભોગ બન્યાનું જણાતા પોલીસ મથકે પહોંચ્યા હતા અને સમીમબેન મકરાણી દ્વારા લેખિત માં અરજી આપતા પીઆઇ જાડેજા, પીએસઆઈ ડીપી ઝાલાએ તપાસ હાથ ધરી હતી.બનાવ અંગે પોલીસ સૂત્રો એ જણાવ્યું હતું કે કોરોનાથી મોતને ભેટેલા કેતનભાઈ ભાલાળા દ્વારા ખાતા ધારકોને વિશ્વાસમાં લઇ ડેઇલી બચત બુકમાં લાખો રૂપિયાની ફિક્સ ડિપોઝીટની રકમ લખી આપવામાં આવી છે, અને મૂળ રકમ બેંકમાં જમા કરાવવામાં આવી નથી. આ બનાવમાં કેતન ભાલાળા ઉપરાંત બેંક મેનેજર સહિતનાઓની સંડોવણી હોવાની શંકાઓ હોય ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી.

majboor str 18 ગોંડલના બચત એજન્ટના કોરોનાથી નિધન બાદ કરોડો રૂપિયાની છેતરપિંડી આવી સામે,મોટા ભાગના શ્રમિકો છેતરાયા