ગુજરાતમાં સતત કોરોનાની સાથે સાથે માર્ગ અકસ્માતની ઘટનાઓ પણ વધી રહી છે. આવામાં હિમંતનગર-વિજાપુર રોડ પર કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે. તો બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. હડીયોલ પુલ છાપરિયા વિસ્તારમાં મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો થયું છે. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પાસે આ અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી અનુસાર, હિંમતનગર-વિજાપુર રોડ પર બાઇક અને કાર વચ્ચે મોડી રાત્રે અકસ્માત થયો હતો. જેમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે તો બે વ્યક્તિને ઈજા પહોંચી છે. અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તો કાર ચાલક હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશને હાજર થયો હતો. પોલીસે કાર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શિક્ષણ જગતમાં હાહાકાર : નસવાડીના લિંડા સ્કૂલના આચાર્યની હત્યા કેસના આરોપીનો મળ્યો મૃતદેહ
રાજકોટ અગ્નિકાંડના વધુ એક દર્દીનું મોત ગણતરીમાં ક્યારે લેવાશે..?
ક્રિકેટ ટૂર્નામેન્ટ જીત્યા બાદ યુવકોએ કર્યું કંઇક આવું કે, પોલીસ આવી હરકતમાં
અમદાવાદના શ્યામ શિખર ટાવરમાં લાગી ભીષણ આગ, અનેક દુકાન બળીને ખાખ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…