Not Set/ શપથવિધિ સમારોહ બાદ સીએમ રૂપાણીના કાફલાને નડ્યો અકસ્માત

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના મંત્રીઓની શપથવિધિ બાદ રૂપાણીના કાફલાને અકસ્માત નડ્યો હતો. ઇન્દિરા બ્રીજ પાસે જ્યારે કાફલામાં સામેલ એક ગાડીના ડ્રાયવરે ઇમરજન્સી બ્રેક મારી હતી. ત્યારે આ અકસ્માત થયો હતો. કારના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવતી બીજી ગાડિયો એક-બીજા સાથે ભટકાઈ હતી. અને કાફલાની ચાર ગાડિયો એક પછી એક એક-બીજા સાથે […]

Gujarat

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના મંત્રીઓની શપથવિધિ બાદ રૂપાણીના કાફલાને અકસ્માત નડ્યો હતો. ઇન્દિરા બ્રીજ પાસે જ્યારે કાફલામાં સામેલ એક ગાડીના ડ્રાયવરે ઇમરજન્સી બ્રેક મારી હતી. ત્યારે આ અકસ્માત થયો હતો. કારના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવતી બીજી ગાડિયો એક-બીજા સાથે ભટકાઈ હતી. અને કાફલાની ચાર ગાડિયો એક પછી એક એક-બીજા સાથે અથડાઈ હતી. જો કે સદનસીબે કોઇ જાનહાનિ થઈ ન હતી.

 

ઉલ્લેખનીય છે કે, શપથવિધિ સમારોહ પહેલા સોમવારે પણ એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જ્યારે શપથવિધિ માટેનો ડોમ બનાવતા સમયે ક્રેનનો ઝટકો આવતા ત્રણ મજૂરો નીચે પટકાયા હતા. જેમાંથી એક મજૂરનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતુ અને હવે શપથવિધિ બાદ સીએમના કાફલાને અકસ્માત નડ્યો હતો.