અમદાવાદ,
સેલ્ફીના ચક્કરમાં લોકો પોતાનો જીવ ગુમાવી બેસે છે.ત્યારે જાસપુરમાં બે છોકરાઓ સેલ્ફી લેતા કેનાલમાં પડ્યા હતા. ગાંધીનગર ઉવારસદ ડેન્ટલ કોલેજના બે યુવકો જાસપુર કેનાલ પાસે સેલ્ફી લેવા ગયા હતા ત્યારે સમગ્ર ઘટના બની હતી. ઘટનાના પગલે NDRFઅને ફાયરની ટીમો ઘટના સ્થળે તૈનાત કરવામાં આવી છે અને આ બંને યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. રંતુ હજુ સુધી મૃતદેહ મળ્યા નથી. ઉલ્લેખનીય છે કે આ બે યુવક પૈકી એક પૂર્વ સાંસદ અને ધારાસભ્ય મોહન કુંડળીયા ભાણેજ છે અને શોઘખોળ હાલ શરુ છે.