જામનગર/ આવી નજીવી બાબતમાં ચાર યુવકોએ મળીને એક યુવકની કરી દીધી હત્યા

જામનગર શહેરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલ ગીગાભાઈ ભેળવાળા પાસે સબ્બીરભાઈ લાલપરીયા નામના વ્યક્તિ સાથે ચાર જેટલા શખ્સોએ માથાકૂટ કર્યા બાદ ચાકુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

Gujarat Others
હત્યા
  • સામાન્ય બાબતમાં યુવકની હત્યા
  • ચાંદી બજાર વિસ્તારની ઘટના
  • સારવાર દરમિયાન યુવકનું થયું મોત
  • 3થી 4 શખ્સોએ છરી વડે કર્યો હુમલો
  • પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

જામનગરમાં ગઈકાલ મોડીરાત્રે યુવકની હત્યા કરાયા હોવાનો બનાવ સામે આવ્યો છે.ચાંદી બજાર વિસ્તારમાં યુવક પર 3થી 4 જેટલા શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો.હુમલામાં ગંભીર રીતે ઘવાતા યુવકનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યુ હતું.ઉલ્લેખનિય છે કે સામાન્ય બાબતમાં યુવક પર 3થી 4 જેટલા શખ્સોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.હાલ તો પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, ગાડી ઓવરટેક જેવી નજીવી બાબતમાં બોલાચાલી થયા બાદ જામનગર શહેરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલ ગીગાભાઈ ભેળવાળા પાસે સબ્બીરભાઈ લાલપરીયા નામના વ્યક્તિ સાથે ચાર જેટલા શખ્સોએ માથાકૂટ કર્યા બાદ ચાકુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા સબ્બીરભાઈ લાલપરીયાને તાત્કાલિક અસરથી સારવાર અર્થે જી.જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.  ICU વિભાગમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્ત યુવક શબ્બીરભાઈ લાલપરિયાનું ટુંકી સારવાર બાદ મોત નિપજયું હતું. પોલીસે આ ઘટનામાં વધુ તપાસ હાથ હાથ ધરી હુમલાખોરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો:કોરોનાથી છૂટકારા તરફ ગુજરાત, ત્રણેય લહેરમાં રાજ્ય પહેલીવાર વેન્ટિલેટર મુક્ત

આ પણ વાંચો:અમૂલ ડેરીનો રેકોર્ડબ્રેક ટર્નઓવર,10 હજાર કરોડને પાર,જાણો વિગત

આ પણ વાંચો:છેલ્લા બે વર્ષમાં મહિલાઓમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું, સૌથી વધુ છે ગૃહિણીઓ, આ કારણ છે

આ પણ વાંચો:AAPનો દાવોઃ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેને 58 બેઠકો મળી શકે છે