યુપીના હાથરસ હિય કે ગુજરાતમાં બનેલી દુષ્કર્મની ઘટનાઓ કે જેની શાહી હજી ભૂંસાઈ નથી અને આરોપીઓને પણ સજા ફટકારવામાં આવી નથી, ત્યારે ગુજરાતમાં વધુ એક બળાત્કારની ઘટના સામે આવતા ચકચાર મચી છે. જેનાથી સવાલો ઉભા થયા છે કે, રાજ્યમાં મહિલાઓ કેટલી સુરક્ષિત છે.
અમદાવાદામાં સમાઈ આવેલી દુષ્કર્મની ઘટનામાં લગ્નની લાલચ આપી પરણિત યુવકે અવાર નવાર મહિલાને હવસનો શિકાર બનાવી હતી. દુષ્કર્મનો ભોગ બનેલી પીડિત મહિલા પોતે વકીલ છે.
આ ઘટના પર નજર કરીએ તો, પીડિતાએ નરાધમ પર આરોપ લગાવ્યો છે કે, આરોપી પંકજ મકવાણા છુટાછેડા માટે ફેમિલી કોર્ટમાં આવતો જતો હતો. પંકજે મહિલા વકીલનો મોબાઇલ નંબર લઇ અવાર નવાર કેસની માહિતી લેતો હતો. આ દરમિયાન બન્ને વચ્ચે ગાઢ મિત્રતા થઇ હતી. એક દિવસ આરોપીએ પોતાની પત્નીને છુટાછેડા આપી હંમેશા દુર કરી પીડિત વકીલ મહિલાને લગ્નની લાલચ આપી હતી.
આરોપી યુવક પોતાની પત્નીને ડિવોર્સ આપવા માટે પીડિત મહિલા વકીલના સંપર્કમાં આવ્યા હતો. બાદમાં બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. લગ્નની લાલચ આપી મરજી વિરૂદ્ધ સંબંધ બાધ્યા હતા. એટલું જ આરોપી યુવકે મહિલાને કેફીન પદાર્થ પીવડાવીને બેભાન કરીને અશ્લીલ વિડિયો ઉતારી અવાર નવાર ધાક ધમકી આપી દુષ્કર્મ ગુજારતો હતો.
આ મામલે હવે વાડજ પોલીસે ફરિયાદ નોંધવામાં આવી છે અને દસક્રોઈ ખાતે જેતલપુરમાં રહેતો પંકજ મહેન્દ્ર ભાઇ મકવાણા વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.