અમદાવાદ,
અમદાવાદના બોપલ ખાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિઓના મોત નીપજ્ય છે. ઘટના છે બોપલ ઉમિયા માતાના મંદિર પાસેથી કે જ્યાં બીઆરટીએસ રૂટ પર બે બાઇકસવાર જઇ પસાર થઇ રહ્યા હતા.
બોપલ પોલીસનાં જણાવ્યાં પ્રમાણે આજે સવારે ઘુમાગામના રહેવાસી વિપુલ ભાભોર (ઉ.વ.20) અને કલ્પેશ આમલિયા (ઉ.વ 20) પલ્સર બાઈક પર જઇ રહ્યાં હતાં.
ઉમિયા માતા મંદિર પાસે BRTS ટ્રેકમાં પુરઝડપે બાઈક ચલાવતા સામેથી આવતી BRTS બસ સાથે અથડાઇ ગયા હતાં. જેમાં વિપુલનું મોત ઘટનાસ્થળે નીપજ્યું હતું.
કલ્પેશને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું પણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પીએમ માટે મોકલી દેવામાં આવ્યો હતો.
ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.